2 એપ્રિલથી કથાનો પ્રારંભ થશે : કથાને લઇ તૈયારી શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢનાં દાતાર પર્વત ઉપર પ્રથમ વખત શ્રીમદ ભાવગત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ તા. 2 એપ્રિલથી થશે અને કથાનો સમય બપોરનાં 2 કલાકથી સાંજનાં 5 વાગ્યા સુધીનો રહેશે.
કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતાર જગ્યાએ બ્રહ્મલીન પુ. પટેલબાપુ અને વિઠ્ઠલબાપુનાં આત્માનાં કલ્યાણાર્થે સૌપ્રથમવાર શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.મહંત ભીમબાપુનાં માર્ગદર્શનમાં દાતારનાં આોલિયા સંતો અને કોરોનાં કાળનાં મૃતાત્માનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનુ અનેરું આયોજન કરાયું છે.આ કથાનો મંગલ પ્રારંભ ચૈત્ર સુદ-1ને શનિવાર તારીખ 2 એપ્રિલ 2022થી થશે અને તારીખ 08 એપ્રિલ 2022ને શુક્રવારે કથા વિરામ લેશે. આ કથાનો સમય બપોર નાં 2થી 5 કલાક સુધીનો રહેશે, કથાનું રસપાન સાવરકુંડલાનાં જાણીતા કથાકાર વિજયભાઈ ઉપાધ્યાય વ્યાસપીઠ કરાવશે.