તા.18 ફેબ્રુઆરીથી 60 દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામું
ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ જવાથી, સ્નાન કરવા જતા ડૂબી જવાથી કે અન્ય રીતે માનવ મૃત્યુના બનાવો બનવા પામેલ છે. આવા બનાવો બનતા અટકાવવાના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર જી.આલ દ્વારા ગીર સોમનાથ જિલ્લો ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 હેઠળ સોમનાથ મંદિરના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.