ગણેશોત્સવ ચાલી રહ્યો હોય પુષ્પો સાથે ગણેશજીનો પણ શ્રી બાલાજી હનુમાન દાદાને શણગાર કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓના કષ્ટ હર્તા અને કહેવાય છે કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ આજના શનિવારના પવિત્ર દિવસે બાલાજી દાદાને મોરપીંછના મુગટ અને ગણેશજી સાથે પીળા પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો છે આ દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે
- Advertisement -
હજારો ભક્તોએ દાદાના આજે દર્શન કરી ધન્યતા અનુભવી છે શનિવારે અહીં 50 હજાર થી પણ વધારે ભક્તો શ્રદ્ધા અને વિશ્ર્વાસ સાથે મહાપ્રતાપી બાલાજી દાદાના શરણે આવે છે અને આ બાલાજી હનુમાનજી મહારાજ બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે તો આપ પણ આજની સંધ્યા આરતીમાં પરિવાર સાથે પધારો અને દાદાની મહાઆરતી અલભ્ય લાભ લો આરતીનો સમય સાંજે 6.45 નો રહેશે જેની ભાવિક ભક્તજનોએ નોંધ લેવી તેમ મંદિરની યાદીમાં જણાવાયું છે.