By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ કરાર સ્થગિત રહેશે: વિદેશ મંત્રી એસ જયશંકર
    11 minutes ago
    PNB કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
    14 minutes ago
    એશિયામાં ફરી કોવિડ-19નો પ્રવેશ: હૉંગકોંગ, સિંગાપોરમાં ફરકી કોરોનાની નવી લહેર
    5 hours ago
    ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
    23 hours ago
    કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 hours ago
    “ઓપરેશન સિંદૂર માત્ર દેખાડા માટે થયું”: કર્ણાટક કાંગ્રેસ ધારાસભ્ય કોથુર મંજુનાથે પુરાવાઓ માંગ્યા!
    4 hours ago
    દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા
    1 day ago
    “આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત
    1 day ago
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    23 hours ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    23 hours ago
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    3 days ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    3 days ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    2 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    3 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    3 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 week ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 hours ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    4 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    4 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 week ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે
Author

દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે

Khaskhabar Editor
Last updated: 2024/07/20 at 5:20 PM
Khaskhabar Editor 10 months ago
Share
5 Min Read
SHARE

બધો આધાર છે એના જતી વેળાનાં જોવા પર.. મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ

મિલન હંમેશા સુખકર હોય છે. નવસર્જનના નિર્માણ માટે નું સ્ત્રોત હોય છે. આઠ આઠ મહિનાની તરસ અને કાળઝાળ તપીશ અને ભીતરના ઉકળાટ ને વેઠ્યા પછી ધરતી આકાશ સામે આશા ની મીટ માંડી ને જુએ છે..એ ઝંખના,એ સાદ ને સાંભળી આકાશ પણ એ આંતરવેદના થી જાણે ગોરંભાય જાય અને વાદળનું બંધારણ થાય..જાણે કે,કોઈ વિરહી જણ ની પાંપણ નાં નેજે અટકી ને રહેલું કોઈ અશ્રુ બુંદ હોય..! અંતરના અવકાશને ખાલી કરવા આકાશ જાણે કડાકા ભડાકા અને વીજળીના ચમકારે આનરાધાર વર્ષેત્યારે થાય છે, ધરા અને આકાશનું મિલન..! એ મિલન એ આલિંગન એજ પ્રકૃતિના નવસર્જન નું નિર્માણ કરે છે.પાષણ બનેલી ગયેલ ધરતી મેઘવર્ષાનાં અમૃત પાનને મનભરી ને પીધાં પછી જાણે કાચી માટીની જાત બની જતી હોય છે..!
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

- Advertisement -

પ્રકૃતિ હોય કે માણસની જાત, પ્રણય તો બધે સરખો..!
એક રીતે જોઈએ તો મિલનના પણ કેટલાક પ્રકાર હોય છે શાબ્દિક, દૈહિક, અને આત્મિક મિલન! આપણી આસપાસ જીવતી વાર્તાઓ જેવા કેટલાય પાત્રો આવાં સંબંધો જીવતા હશે..! જે સંબંધોમાં મિલનનાં નામે માત્ર ભાવનાઓ,શબ્દો ,અને પ્રાર્થના હોય!આવી લાગણીઓ શાશ્વત હોય છે ચિર કલીન..! મળ્યા વગર પણ જીવંત રહેતો સબંધ અનંત હોય છે. છતાં પણ વિરહ તો ત્યાં પણ આવે જ છે.કારણ કે ,જીવનને કાળનું બંધન હોય છે.

સંજોગો પરિસ્થિતિ અને સમય અનુસાર લાગણીઓ પરિવર્તિત થતી રહે સંબંધોના રૂપ પણ બદલાતા જાય છે.આથી જ સંવેદનાઓ એટલી જ રાખવી જેટલી વેદના સહન કરી શકો..! કારણ કે,દરેક મિલન પછી જુદાઈ નિશ્ચિત હોય છે. હા બસ, સમય ગાળાનો તફાવત રહે છે. ક્યારેક કોઈનું મળવું જીવનભરનો સાથ હોય તો ક્યારેક માત્ર કેટલાક દિવસો અને કેટલાક કલાકો પણ હોય શકે. કોઈ વ્યક્તિને અચાનક મળવું એ આકસ્મિક બનાવ ક્યારેય હોતો નથી.એ ઘટનાની નિયતિ પહેલેથી નક્કી થયેલી જ હોય છે.જે સમયે મળીએ છીએ તે ક્ષણ થી જ કદાચ જુદા થવાની ક્ષણો શરૂ થઈ જતી હોય છે.જેવી રીતે જન્મદિવસે આયુષ્યનું એક વર્ષ ખર્ચાઈ જાય છે બસ કંઈક એવી જ રીતે..! તફાવત બસ એટલો છે કે,આપણે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ.પરંતુ કોઈ સ્વજનથી છુટા પડયા ની વેદના આજીવન આપણા દિલ ને દુ:ખી કરતી રહે છે.ઈશ્વર બહુ મોટો ગણિતજ્ઞ છે. તે હંમેશા દરેક વ્યક્તિના કર્મની ખાતાવહી બેલેન્સ કરે છે. ક્યારે, ક્યાં, કોણ, અને કેવી રીતે..? કેટલા સમય માટે..? મળશે અને કઈ ક્ષણથી જુદું પડશે..? એ પહેલે થી જ નિશ્ચિત થયેલું હોય છે. બસ આપણા માટે આ બધી ઘટનાઓ અનિશ્ચિત અને અણધારી હોય છે. એટલે જ તો ક્યારેક કોઈ અંગતનું ઓચિંતુ મળવું કે કોઈ સ્વજન નું અણધાર્યું છોડી જવું બંને પરિસ્થિતિનો સહજ સ્વિકાર કરવો સરળ હોતો નથી.સમય વીતી જાય છે અને સ્મરણો રહી જાય છે..કદાચ જીવન પર્યત..!

ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ..વિખોટું પડવું..! આ શબ્દને સમજવો જરૂરી છે.કેમકે, એ એ શબ્દના અર્થને પચાવ્યા પછી જ આપણે કદાચ જુદા પડવાનો અર્થ સમજી શકીશું. જ્યારે બે વ્યક્તિ પરસ્પર મળે છે પછી એ સંબંધ લોહીનો હોય,લાગણી નો ,સામાજિક કે, વ્યવસાયિકકોઈપણ સંબંધ હોય,પરંતુ પરસ્પર મળનાર બે વ્યક્તિ ત્યારે જ એકબીજાને મળે છે જ્યારે પૂર્વાંતરનાં જન્મમાં કંઈક ઋણાનુબંધ બાકી હોય..! માતા-પિતા-સંતાનો, પતિ પત્ની કે વ્યવસાયિક સંબંધો થી મળનાર વ્યક્તિ ત્યાં સુધી જ સાથે રહી શકશે જ્યાં સુધી પરસ્પર એકબીજા સાથે કશિક લેણા દેણી બાકી હશે.જે ક્ષણ થી લેતી દેતી બરાબર થશે,એ સંપર્ક પણ પૂર્ણ થશે.બંને વચ્ચે જ્યારે કંઈક ખુંટી જશે ત્યારે બંને વ્યક્તિ વિખુટા પડી જશે..!
આજના આ રોબોટિક સમયમાં લોકો માટે પરસ્પર મળવું અને છૂટું પડવું એ એક સામાન્ય રોજીંદા જીવનમાં બનતી ઘટના છે. કારણ કે પ્રવર્તમાન સમયમાં જીવાતા સંબંધો સ્થાયી કે નિરંતર હોતા નથી. નિજ સ્વાર્થ કે કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય ને પરિપૂર્ણ કરવા માટે જોડાયેલા સંબંધોનું આયુષ્ય પરસ્પરની ધ્યેય પ્રાપ્તિ પૂરતું જ સીમિત બની જતું હોય છે. આવા સંબંધોમાં મળ્યા પહેલા જ છુટા થઈ જવાની શરતો પણ નક્કી થયેલી હોય છે. આથી આવા સંબંધો જીવતા લોકો માટે અલગ પડવું એ એક સહજ ઘટના કહી શકાય.
આમ છતાં એક સત્ય એ પણ છે કે ખરેખર આંતર મન ની લાગણી થી જોડાયેલ સ્વજન થી શું ખરેખર વિખૂટું પડી શકાય ખરું કે..? છેટુ પડવાથી છૂટું થઈ શકે ખરું કે..? સામાન્ય લાગણી કે સંબંધોની વાત અલગ છે.પરંતુ જ્યાં આત્મીક મિલનની ક્ષણોને માણી હોય એ મિલન ક્યારે ય વિરહમાં પરિણમી શકતું નથી. વ્યવહારો કે સામાજિક બંધનોથી બંધાયેલા સંબંધો સમયાંતરે અંતને પામે છે.પરંતુ આત્માના ઊંડાણથી મળેલા જીવ જન્માંત્તર સુધી છૂટા પડી શકતા નથી.કદાચ સમયનું ચક્ર ક્યારેક ઉલટુ ચાલે અને પ્રત્યક્ષ કે પરોક્ષ મુલાકાત ન થઈ શકે,પરંતુ શાશ્વત સાથેની મુલાકાત તો સતત અનુભૂતિ રૂપે પણ થતી જ રહેતી હોય છે.

- Advertisement -

You Might Also Like

સડન કાર્ડિયાક એરેસ્ટ જ હાર્ટ એટેક

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

હડતાળ

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

કાયદાકીય માહિતી મેળવો પછી જ જાવ…

TAGGED: LOVE, RELETIONSHIP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક નવી પર્યાવરણિય સમસ્યા – ઈન્ટરનેટ પ્રદુષણ વિશે જાણો…
Next Article સુરજકરાડી ગામને મળ્યો નગરપાલિકાનો દરજ્જો છતાં સુવિધાના નામે મીંડું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કૂખ્યાત અલ્તાફ- છ આંગળી સાતમી વખત પાસામાં પુરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
પોલીસ લાઈનમાં સામાજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરાયું
આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સિંધુ કરાર સ્થગિત રહેશે: વિદેશ મંત્રી એસ જયશંકર
PNB કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તમારી પાસે ડ્રગ્સ સંબંધી ટિપ છે? તો 1933 હેલ્પલાઇન પર જાણ કરો
E-KYC નહીં કરાવનારાનું રાશન બંધ, કાર્ડ પણ રદ કરી દેવાયા : લોકોમાં દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Meera Bhattરાજકોટ

સડન કાર્ડિયાક એરેસ્ટ જ હાર્ટ એટેક

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Kinnar Acharya

હડતાળ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?