વતન જવાની લાહ્યમાં એકે જીવ ગુમાવ્યો
કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી હૉસ્પિટલ પહોંચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસથી ઊપડતી ટ્રેન પકડવા મોટી સંખ્યામાં મુસાફરો ઊમટી પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. આજે પાંચ લોકો દબાઈ જવાના કારણે ઢળી પડ્યા હતા, જેથી ત્યાં હાજર રેલવે પોલીસ દ્વારા ઈઙછ આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી બેની હાલત ગંભીર થતાં 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકને મૃત હાજર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે રેલવે તંત્ર, પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું. પોલીસનો મોટી સંખ્યામાં સ્ટાફ રેલવે સ્ટેશન પર દોડી ગયો હતો. જ્યાં લોકોની ભીડને કાબુમાં લઈ બેભાન થયેલા લોકોને સારવારમાં ખસેડ્યાં હતાં. હાલ રેલવે સ્ટેશન પર પોલીસે સમગ્ર ભીડ પર કાબુ મેળવી લીધો છે. રેલવે સ્ટેશન સામાન્ય ભીડ જોવા મળી રહી છે.
- Advertisement -
આ સમગ્ર ઘટના બાદ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના ઝરદોષ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં ધક્કામુક્કીમાં મૃત્યુ પામનારના ભાઈ અને ઇજાગ્રસ્ત મહિલાની મુલાકાત લીધી હતી. ઇજાગ્રસ્તો પાસેથી માહિતી મેળવી સમગ્ર ઘટના અંગેનો તાગ મેળવ્યો હતો. ઘટના બાદ મંત્રીઓ અને રેલવે પ્રસાશન દોડતું થયું છે. મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની દર્શના ઝરદોશે જાહેરાત કરી હતી. આ સાથે જ રેલવે પ્લેટફોર્મ પર સુવિધા આપવા મામલે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીએ ગોળ ગોળ વાત કરી હતી.
75થી વધુ પોલીસકર્મી ફરજ પર: ઉુજા
આ મામલે રેલવે પોલીસના ઉુજા ડી. એચ. ગૌરે જણાવ્યું હતું કે, આ પ્રકારની સ્થિતિ સર્જાતા અંદાજે 75થી વધુ પોલીસકર્મીને ફરજ પર રાખવામાં આવ્યા છે. મુસાફરોને લાઈનમાં લગાવી ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. એસી કોસમાં વધુ સંખ્યામાં લોકો ઘૂસી જવાથી આ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. દિવાળીનો સમય હોવાથી મોડી રાતથી સવાર સુધીમાં જ ત્રણથી ચાર હજાર માણસો તો ક્યાંરેક પાંચ હજાર માણસો પણ રેલવે સ્ટેશન પર આવી જાય છે.
- Advertisement -