ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ ગાયત્રી મંદિર ખાતે સ્વર્ગસ્થ ડો.મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢીયારની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોગીભાઈ પઢીયાર પરિવાર જૂનાગઢના સહયોગ દ્વારા નેત્રયજ્ઞ અને અન્ય પ્રકારના રોગોનો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચિકિત્સા કરવામાં આવી હતી નેત્ર યજ્ઞના ઓપરેશન માટે 15 લોકો અને અન્ય આંખના રોગો માટેના 24 દર્દીઓને તપાસી વીરનગર શિવાનંદ હોસ્પિટલ ખાતે તમામ લોકોના મોતિયા અને જામરનું ઓપરેશન કરવામાં આવશે હાર્ટ અને ડાયાબિટીસના 95 દર્દીઓ ડો.જગદીશ મહેતા, ડો.પાથેભાઈ ગણાત્રા, ડો.હેતલબેન વાઘેલા, ડો.પ્રણવભાઈ ત્રિવેદી, ડો.શૈલેષભાઈ પંડયા દ્વારા તપાસવામાં આવેલ તેમજ આયુર્વેદિક તેમજ તેમના સ્ટાફ દ્વારા 130 થી વધુ દર્દીઓને તપાસ કરી દવા આપી હતી.
આ ઉપરાંત તેમજ હોમિયોપેથીક ડોક્ટર પંડ્યા દ્વારા 49 થી વધુ દર્દીઓને તપાસેલ અને પંચકર્મા આયુર્વેદના વૈઘ શિવકુષણ શાસ્ત્રી, ડો.પ્રતિક્ષાબેન મોરી, ડો.મયુર વિરડીયા દ્વારા પણ લોકોને પંચકર્મો વિશે માહિતી આપી દવા આપેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયા, અશોકભાઈ ભટ્ટ, પ્રફુલ્લભાઈ ત્રિવેદી, મનોજભાઈ જોષી, ઉમેદસિંહ રાઠોડ, જીતુભાઈ દાદ, શ્રેયાંશભાઈ ઠાકર, મનસુખભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પ ને સફળ બનાવવા ગાયત્રી શકિતપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગબાપુ વાળા, કમઁચારીઓ, સેવાભાવી લોકો તેમજ પઢિયાર પરિવારના મહેન્દ્ભસિંહ પઢિયાર, યોગેન્દ્રસિંહ પઢિયાર, નરેન્દ્રસિંહ પઢિયાર અને જયસિંહ પઢિયારે જહેમત ઉઠાવી હતી.