જૂનાગઢ ગિરનારી ગ્રુપ દ્વારા મેળામાં સેવાયજ્ઞ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જુનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક યાદીમાં જણાવવામાં આવે છે કે, મહાશિવરાત્રી પર્વનો પ્રારંભ થયો ત્યારથી ભારતી આશ્રમ ખાતે ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજી મહારાજના શિષ્ય મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુની અધ્યક્ષતામાં ત્રિ દિવસીય મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન તથા પ્રાથમિક સારવાર કેન્દ્રનુ આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
આ મહા રક્તદાન કેમ્પ તથા પ્રાથમિક સારવાર કેન્દ્રનું દીપ પ્રાગટ્ય હરિહરાનંદ ભારતીજી મહારાજ, મહાદેવ ભારતીબાપુ, મુક્તાનંદ બાપુ, કલેકટર અનિલ રાણાવસીયા, કમિશ્નર ડો. ઓમ પ્રકાશ, એસપી બી. યુ. જાડેજા, સાધુ સંતો સહીત ઉપસ્થિત ભક્ત ગણો દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશ્નર એચ.એસ. ઝાંપડા, આસિ. કમિશ્નરજયેશભાઈ વાજા, કલ્પેશભાઈ ટોલીયા, ડો. ભાવિન પઢારીયા, અલ્પેશભાઈ મહેતા, કેતનભાઇ રૂપાપરા, ચિરાગભાઈ ગિરનાર ગ્રુપના સભ્યો સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, દિનેશભાઈ રામાણી, શૈલેષભાઈ દવે, ભરતભાઈ ભાટિયા, હરિભાઈ કારીયા, ગૌરવભાઈ પોપટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહારક્તદાન કેમ્પમાં સૌ પ્રથમ સાધુ, સંતોએ પોતાના રક્ત નું દાન કરીને “રક્તદાન મહાદાન” ના સુત્રને સાર્થક કર્યું હતું. અને આ મહાશિવરાત્રી પર્વમાં ભારતી આશ્રમ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્ત ગણોને બહોળી સંખ્યામાં પોતાના રક્તનું દાન કરવાં માટે મહાદેવ ભારતી બાપુએ આહવાન કરેલું છે. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થનારું તમામ રક્ત જૂનાગઢની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બ્લડ બેન્ક વિભાગમાં આવતા થેલેસેમીયા ગ્રસ્ત પીડીત બાળકો તથા જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.