છત્તીસગઢ માઓવાદી હુમલો: સુકમા જિલ્લાના એએસપી આકાશ રાવનું IED બ્લાસ્ટમાં શહીદ થયા
છત્તીસગઢના સુકમા જિલ્લામાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં ASP આકાશ રાવ ગિરીપુંજેનું મોત નીપજ્યું હતું. માઓવાદી બંધ પહેલા થયેલા વિસ્ફોટમાં ઘણા અન્ય અધિકારીઓ ઘાયલ થયા હતા.
- Advertisement -
નક્સલીઓએ 10મી જૂન બંધનું એલાન આપ્યું હતું
અહેવાલો અનુસાર, નક્સલીઓએ મંગળવારે (10મી જૂન) બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તે કોન્ટા-એરાબોરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બ્લાસ્ટ થયો હતો. જેમાં ASP આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એએસપી આકાશ રાવ ગિરીપુંજે રાયપુર અને મહાસમુંદમાં ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર રાયપુરમાં જ રહે છે.
અત્યાર સુધીમાં 7 નક્સલીઓ ઠાર
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના બીજાપુર જિલ્લાનું ગાઢ જંગલ, જે એક સમયે નક્સલીઓના ડર અને આતંકનો પર્યાય માનવામાં આવતું હતું, તે હવે સુરક્ષા દળોની વ્યૂહાત્મક સફળતાનું સાક્ષી બની રહ્યું છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી જૂન 2025ના રોજ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ સાત નક્સલીઓ ઠાર મરાયા છે. મહત્ત્વની વાત એ છે કે આ માર્યા ગયેલા નક્સલીઓમાં બે ટોચના લીડર સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે.