By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોશાખાના 2 કેસમાં પૂર્વ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા
    3 hours ago
    જાપાનમાં વ્યાજદરનો 30 વર્ષનો રેકોર્ડ તૂટતાં તમામ શેરબજારોમાં થશે અસર
    1 day ago
    નોર્થ કેરોલિના એરપોર્ટ નજીક ખાનગી જેટ ક્રેશ થતાં NASCAR લિજેન્ડ ગ્રેગ બિફલ અને તેના પરિવારનું મોત
    1 day ago
    ઓસ્માન હાદીના મૃત્યુ પછી બાંગ્લાદેશમાં વિરોધ ફાટી નીકળ્યો
    1 day ago
    10 મહિનામાં 8 યુદ્ધો સમાપ્ત: ટ્રમ્પ ફરીથી તેના પર, મનપસંદ શબ્દ ‘ટેરિફ’નો શ્રેય
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે આવતાં 7 હાથી કપાયા: એક બચ્ચું ઘાયલ
    2 hours ago
    આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડનો પુલ બનશે
    3 hours ago
    પવન કલ્યાણ, પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ કાર્યકરની લિંચિંગની નિંદા કરી
    3 hours ago
    GSRTCની નવી પહેલ : હવે ટ્રેનની જેમ જઝ બસમાં પણ જમવાનું ઑનલાઇન મગાવી શકાશે
    1 day ago
    દિલ્હીમાં છઠ્ઠા દિવસે પણ હવા ઝેરી, AQI 387
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    3 hours ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    3 hours ago
    એશિઝ: જોફ્રા આર્ચર સાથે બેન સ્ટોક્સનું ગરમાગરમ વિનિમય વાયરલ થયું: સ્ટમ્પ પર ફક્ત બોલ કરો
    1 day ago
    ઝારખંડ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતીને જંગી સિદ્ધિ હાંસલ કરનાર ઈશાન કિશન પહેલો ભારતીય ક્રિકેટર બન્યો
    1 day ago
    લખનૌ T20I ધુમ્મસને કારણે ત્યજી દેવાયું, ચાહકોએ લાગણીઓ વધારે હોવાથી BCCI શેડ્યૂલ પર પ્રશ્ન કર્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 week ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 week ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!
Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor
Last updated: 2025/12/20 at 5:07 PM
Khaskhabar Editor 3 minutes ago
Share
8 Min Read
SHARE

હવે અરાવલ્લી ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે. ભૂગર્ભ વૈજ્ઞાનિકોના મત અનુસાર તેનો ઇતિહાસ 300 કરોડ વર્ષથી પણ વધુ જૂનો માનવામાં આવે છે-હિમાલયના જન્મથી ઘણો પહેલાનો. જ્યારે ઉત્તર ભારતનો મોટો ભાગ સમુદ્ર હેઠળ હતો, ત્યારે અરાવલ્લીના પહાડો ધરતી પર ઉભા હતા. સમય સાથે તે ઊંચાઈમાં ઘસાઈ ગઈ, પરંતુ તેનું મહત્વ ક્યારેય ઘટ્યું નહીં. લાખો વર્ષોથી આ પર્વતમાળા માત્ર પથ્થરોની શ્રેણી નથી રહી, પરંતુ થાર રણને અટકાવતી કુદરતી દીવાલ, વરસાદી પાણી સંગ્રહતી જળપ્રણાલી અને ઉત્તર ભારતના પર્યાવરણની રક્ષા કરતી ઢાલ બની રહી છે.
દિલ્હી-એનસીઆર અને રાજસ્થાન માટે અરાવલ્લી પ્રાકૃતિક એર-ક્ધડીશનર છે. તે ધૂળ રોકે છે, તાપમાન સંતુલિત રાખે છે અને હવામાનને સહનશીલ બનાવે છે. આ રક્ષણાત્મક ભૂમિકા નવી વ્યાખ્યામાં ક્યાંય ગણવામાં આવી નથી.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપનાવવામાં આવેલી નવી વ્યાખ્યા મુજબ હવે માત્ર આસપાસની જમીન કરતાં 100 મીટર કે તેથી વધુ ઊંચા પહાડોને જ ‘અરાવલ્લી’ માનવામાં આવશે. આ એક વાક્યમાં છુપાયેલો અર્થ ખૂબ ગંભીર છે કે હવે અરાવલ્લીના આશરે 90 ટકા કરતાં વધુ ભાગ કાનૂની સુરક્ષા બહાર થઈ જાય છે, કારણ કે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (ઋજઈં)ના મતે અરાવલ્લી વિસ્તારમાં કુલ 12,081 પર્વતો અથવા હિલોક્સમાંથી માત્ર 1,048 (લગભગ 8.7%) જ 100 મીટરથી વધુ ઊંચા છે, જેના કારણે બાકીના નીચા પર્વતો, જે અરાવલ્લીની મૂળ રચનાનો અભિન્ન ભાગ છે, હવે ખનન અને અન્ય વિકાસ માટે ખુલ્લા પડી શકે છે. સાંભળવામાં આ વ્યાખ્યા તકનીકી અને વૈજ્ઞાનિક લાગી શકે, પરંતુ હકીકતમાં તે અરાવલ્લીની મૂળ રચનાને જ નકારી દે છે, કારણ કે અરાવલ્લી રેન્જ એક સતત શ્રેણી છે જેમાં નીચા-ઊંચા પર્વતો, રિજીસ અને હિલ્સની વિવિધતા છે, અને આ નવી વ્યાખ્યા તેની ઇકોલોજીકલ અખંડિતતા (ભજ્ઞક્ષશિંક્ષીશિું ફક્ષમ શક્ષયિંલશિિું)ને તોડી નાખે છે, આ પ્રકારની હિલની વ્યાખ્યા ભારતીય પર્યાવરણીય કાયદામાં મૂળે 1986માં દક્ષિણના નીલગીરી પર્વત સંદર્ભે ઉદ્ભવી હતી, જ્યારે નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વની રચના અને શોલા જંગલો-ઘાસના મોઝેઇક ઇકોસિસ્ટમના રક્ષણ માટે વર્લ્ડ હેરિટેજ અને યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ હેઠળ પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ તે સમયેના નીચા પર્વતો અને ઇકોલોજીકલ કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને વ્યાપક અભિગમ અપનાવાયો હતો, જેની તુલનામાં અરાવલ્લી માટેની આ તંગ વ્યાખ્યા તેની જૂની જીયોલોજીકલ અને ડાયવર્સીટીની મહત્તા સામે અન્યાયકારી લાગે છે.
ઉપર કહ્યું તેમ, આ પ્રકારની સંકુચિત અને યાંત્રિક વ્યાખ્યાઓનો વિરોધ ભારતના પર્યાવરણ કાનૂની ઇતિહાસમાં પહેલેથી જ થયો છે. દક્ષિણ ભારતના નીલગીરી અને પશ્ચિમ ઘાટના સંદર્ભમાં ટી. એન. ગોદાવર્મન થિરુમુલપાડ દ્વારા 1995માં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી (ૠજ્ઞમફદફળિફક્ષ દત ઞક્ષશજ્ઞક્ષ જ્ઞર ઈંક્ષમશફ) એ સુપ્રીમ કોર્ટને પર્યાવરણ સંરક્ષણમાં ઐતિહાસિક વળાંક અપાવ્યો હતો. આ કેસમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે વન અથવા પર્વતીય વિસ્તારની વ્યાખ્યા માત્ર રેકોર્ડમાં લખાયેલા નામ કે ઊંચાઈ જેવા ટેકનિકલ માપદંડોથી નક્કી નહીં થાય, પરંતુ તેની વાસ્તવિક પર્યાવરણીય લાક્ષણિકતાઓ – જંગલો, ઢાળાઓ, જળસ્ત્રોતો, જમીનની રચના અને જીવસૃષ્ટિ -ના આધારે થશે. આ ચુકાદાએ નાના જંગલો, નીચી ટેકરીઓ અને પથ્થરીલા પટ્ટાઓને પણ કાનૂની સુરક્ષા આપવાનો માર્ગ ખુલ્લો કર્યો. આ જ પૃષ્ઠભૂમિમાં જો આજે અરાવલ્લી માટે આસપાસની જમીન કરતાં 100 મીટર ઊંચાઈને જ માપદંડ બનાવવામાં આવે, તો તે ગોદાવર્મન કેસ દ્વારા સ્થાપિત થયેલી વ્યાપક પર્યાવરણીય સમજથી વિરુદ્ધ જતું પગલું બને છે અને અરાવલ્લીની મૂળ રચના તથા કાર્યક્ષમતાને કાયદાકીય રીતે અદૃશ્ય બનાવી દેવાનો ખતરો ઊભો કરે છે.
અરાવલ્લીની મોટી ખાસિયત તેની ઊંચાઈમાં નહીં, પરંતુ તેના વિસ્તૃત ફેલાવા, નાની ટેકરીઓ, ઢાળાઓ અને પથ્થરીલા પટ્ટાઓમાં છે. આ જ ભૂમિરૂપો વરસાદી પાણી સંગ્રહે છે, ભૂગર્ભ જળ રીચાર્જ કરે છે અને રણને આગળ વધતા અટકાવે છે.અરાવલ્લી પર્વતમાળા ઊંચા, સતત અને ખડકાળ પહાડોની શ્રેણી નથી. સમયની લાંબી પ્રક્રિયામાં તે ઘસાઈ ગઈ છે અને આજે તે નાની ટેકરીઓ, પથ્થરીલા પટ્ટાઓ, ઢાળાઓ અને રિજેસના સ્વરૂપમાં વિસ્તરેલી છે. આ જ વિસ્તારો વરસાદી પાણી અટકાવે છે, જમીનમાં ઉતારે છે અને ભૂગર્ભ જળને જીવંત રાખે છે.
અરાવલ્લીની સાચી તાકાત તેની ઊંચાઈમાં નહીં,

અરાવલ્લીની વ્યાખ્યા બદલીને 90% પર્વતોને ખનન માટે ખુલ્લા મૂક્યા!

- Advertisement -

પરંતુ તેના વિસ્તૃત અને સૂક્ષ્મ ભૂગોળીય બંધારણમાં છે. અરાવલ્લી કોઈ ઊંચા, સતત અને ખડકાળ પહાડોની દીવાલ નથી; લાખો વર્ષોની ભૂગર્ભ પ્રક્રિયામાં તે ધીમે ધીમે ઘસાઈ ગઈ છે. પરિણામે આજે અરાવલ્લી નાની ટેકરીઓ, પથ્થરીલા પટ્ટાઓ, ઢાળાઓ અને રિજેસના સ્વરૂપમાં વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. પણ હવે, આ બધું જ ‘અરાવલ્લી નથી’ એવું કહેવામાં આવશે.
આમ, દેખાવમાં સામાન્ય લાગતી ભૂમિરૂપો જ અરાવલ્લીની પર્યાવરણિક ભૂમિકા નિભાવે છે. વરસાદી પાણી અહીં અટકે છે, ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળના સ્તરોને ફરી ભરવા મદદ કરે છે. આ જ કારણ છે કે અરાવલ્લી થાર રણના વિસ્તરણને રોકતી કુદરતી અવરોધરૂપે કાર્ય કરે છે. જો આ નાની ટેકરીઓ અને પથ્થરીલા પટ્ટાઓ નષ્ટ થાય, તો રણ આગળ વધે, પાણી ઝડપથી વહી જાય અને પ્રદેશ વધુ શુષ્ક બનતો જાય.
આથી અરાવલ્લીને માત્ર કેટલી ઊંચી છે એ માપદંડથી જોવું મૂળભૂત ભૂલ છે. તેની સાચી ઓળખ તેની જળસંચય ક્ષમતા, પર્યાવરણ સંતુલન અને રક્ષણાત્મક ભૂમિકામાં છે-જે નવી વ્યાખ્યામાં નજરઅંદાજ થઈ રહી છેલગ્ન માટેનો સીધો અર્થ શું થાય છે?
જ્યાં પહેલા ખાણકામ, મોટા બાંધકામ અને રિયલ એસ્ટેટ પર પ્રતિબંધ હતો, ત્યાં હવે રસ્તો ખુલ્લો થઈ જશે. વિકાસના નામે ખોદકામ થશે, ટેકરીઓ સપાટ કરાશે અને કોન્ક્રીટ ઊભી થશે. જ્યારે પાણી ઘટશે, ગરમી વધશે અને પ્રદૂષણ ફેલાશે-ત્યારે કોઈને યાદ નહીં આવે કે સમસ્યા ક્યાંથી શરૂ થઈ.
સુપ્રીમ કોર્ટ કહે છે કે ‘સસ્ટેનેબલ માઇનિંગ પ્લાન’ બનાવાશે અને નવા ખાણકામ પર હાલ રોક છે. પરંતુ અનુભવ કહે છે કે એક વખત કાનૂની દરવાજો ખુલ્લો થઈ જાય, પછી નિયંત્રણ માત્ર કાગળ પર જ રહે છે.
નવી 100 મીટર વ્યાખ્યા દ્વારા જ્યારે અરાવલ્લીને માત્ર આસપાસની જમીન કરતાં વધુ ઊંચા પહાડો સુધી સીમિત કરી દેવામાં આવે છે, ત્યારે તેની મોટાભાગની નાની ટેકરીઓ, ઢાળાઓ અને પથ્થરીલા પટ્ટાઓ કાનૂની રીતે અરાવલ્લી રહેતા નથી. તેનો સીધો અર્થ એ થાય છે કે આ વિસ્તારો પર માઇનિંગ, રિયલ એસ્ટેટ, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, હાઇવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લાગુ પડતી પર્યાવરણીય મર્યાદાઓ આપોઆપ હળવી થઈ જાય છે. સરકાર માટે જમીન ઉપલબ્ધતા વધે છે, મંજૂરી પ્રક્રિયા સરળ બને છે, કાનૂની પડકારો ઘટે છે અને રોયલ્ટી, લેન્ડ ક્ધવર્ઝન, સ્ટેમ્પ ડ્યુટી તથા ટેક્સ આવક વધારવાની તક ઊભી થાય છે. સાથે સાથે, આ વ્યાખ્યા સરકારને જવાબદારીથી દૂર રહેવાનું પણ એક સુવિધાજનક કવચ આપે છે: એક તરફ વિકાસનો લાભ મળે છે અને બીજી તરફ જો પર્યાવરણીય નુકસાન અંગે કોઈ આંગળી ઉઠાવે, તો સહેલો જવાબ તૈયાર રહે છે – આ તો સુપ્રીમ કોર્ટનો નિયમ છે, સરકારનો નહીં. અન્ય શબ્દોમાં કહીએ તો, કાગળ પર અરાવલ્લી બચાવી રહ્યા છીએ એવું કહી શકાય છે, જ્યારે વાસ્તવમાં અરાવલ્લીનો મોટો ભાગ વિકાસ માટે ખુલ્લો મૂકી દેવામાં આવે છે; પર્યાવરણ સંરક્ષણની ભાષા અને વિકાસની હકીકત વચ્ચેનું આ અંતર જ આ વ્યાખ્યાનો સૌથી ચોખ્ખો, પરંતુ ઓછો બોલાતો, રાજકીય ફાયદો છે.
આ નિર્ણય માત્ર પર્યાવરણનો મુદ્દો નથી; તે નીતિ અને દૃષ્ટિકોણનો મુદ્દો છે. શું આપણે કુદરતને માત્ર માપણી અને વ્યાખ્યાના ફ્રેમમાં બંધ કરીશું? કે પછી સમજશું કે કુદરત ગણિત કરતાં વિશાળ છે?
અરાવલ્લીને બચાવવું એટલે માત્ર પહાડો બચાવવા નહીં-
એનો અર્થ છે પાણી બચાવવું, હવા બચાવવી અને આવનારી પેઢીઓનું ભવિષ્ય બચાવવું.
વિકાસ જરૂરી છે, પરંતુ કુદરતને ખતમ કરીને થતો વિકાસ અંતે વિનાશમાં જ ફેરવાય છે. અરાવલ્લીનો કેસ એનું જીવતું ઉદાહરણ બની શકે છે-જો હવે પણ ચેતીએ નહીં તો.

You Might Also Like

સ્મિતા પાટીલ : ભારતીય સ્ત્રી-ચેતના અને સમાંતર સિનેમાની ઝળહળતી અગ્નિકથા

કચ્છ-સૌરાષ્ટ્રના GI ઉત્પાદનો

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર
ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે
જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરીએ!
ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (જઈંછ) કાર્યક્રમ અંતર્ગત મુસદ્દા મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ જાહેર કરાઈ
સોમનાથ ખાતે ‘ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ’ વિષય પર રાષ્ટ્રીય સ્તરનો સેમિનાર યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

સ્મિતા પાટીલ : ભારતીય સ્ત્રી-ચેતના અને સમાંતર સિનેમાની ઝળહળતી અગ્નિકથા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

કચ્છ-સૌરાષ્ટ્રના GI ઉત્પાદનો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Hemadri Acharya Dave

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?