દીકરાના મોત બાદ પરિવારની ન્યાયની માંગણી
ડૉ. ધવલ અજમેરાની ગંભીર બેદરકારીથી પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પુનિત નગર પાસેની આયુષ્યમાન હોસ્પિટલનો વધુ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. પરિવારના સભ્યોએ ગંભીર હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ બાબતે ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. આયુષ્માન હોસ્પિટલના ડૉ. ધવલ અજમેરા અને હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારીને કારણે એક યુવાન મૃત્યુ પામ્યો હોવાના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક નવયુવાન નમન નરેન્દ્રભાઈ વાજાના માતા હિમાંશીબેન વાજાએ જણાવ્યું છે કે, તેમના દીકરાને અંદાજે 8 દિવસ પહેલા ઉલ્ટીની સમસ્યા થઇ હતી. ત્યાર બાદ આસપાસના દવાખાને સારવાર લેવામાં આવી હતી. બાદમાં તેઓ ઘરે પરત આવી ગયા હતા. પરંતુ છોકરા (મૃતક)ને ફરીથી ઉલ્ટીની સમસ્યા શરુ થતા પરિવવાર પુનિત નગર પાસેની આયુષ્યમાન હોસ્પિટલ ખાતે બુધવારે લઇ આવ્યા હતા અને છોકરાને દાખલ કરીને ટ્રીટમેન્ટ શરુ કરી દેવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું કે, સમયાંતરે ડોક્ટરે વિવિધ રિપોર્ટસ કર્યા હતા. જેમાં કમળો અને ડેન્ગ્યુની થોડી અસર જણાઈ હતી. જો કે એ સમયે દર્દીની ઈમ્યુનિટી અને સ્થિતિ સારી હતી. તેમજ આખા દિવસમાં ડોક્ટર ફક્ત એક જ વાર તાપસ અર્થે આવતા હતા. બાકીનું તમામ કામ ફોનથી સૂચનાઓ આપી ત્યાંના સ્ટાફ અને નર્સ પાસે જ કરાવાતું હતું. જો કે પરિવારને દીકરાની તબિયત સંદર્ભે થોડી શંકાઓ જણાઈ હતી. ત્યારે ડોક્ટરે કિડની અને પેટના રિપોર્ટ્સ કરવા જણાવ્યું હતું. જેમાં બીજા 2 દિવસ નીકળી ગયા. રિપોર્ટ્સ બાદ ડોક્ટરે કહ્યું કે, આમાં (રિપોર્ટ્સમાં) કઈ બતાવતા નથી અને ચિંતા જેવું નથી. આ સમયે દર્દી હળવો ખોરાક પણ લઇ શકતો હતો. જો કે ત્યાર બાદ દર્દીને અચાનક પેટનો દુ:ખાવો વધી જતા દર્દી બોલી પણ શકતો ન હતો અને મોઢું પણ ખૂલી રહ્યું હતું નહિ. આ સમયે પરિવારજને ત્યાં હાજર સૌ કોઈ સ્ટાફનું ધ્યાન દોર્યું હતું અને ડોક્ટરને જાણ કરવા કહ્યું હતું. શુક્રવારે રાત્રે પરિવારે એવું પણ કહ્યું કે જો સારું ન થઇ શકે
- Advertisement -
એમ હોય તો અમે લોકો બીજે જતા રહીએ. આ સમયે ટ્રીટમેન્ટમાં દર્દીને દુ:ખાવાના વધુ પડતા ડોઝ આપવામાં આવ્યા હતા. જો કે કોઈ ફરક પડ્યો નહિ, ઇઙ પણ લો થઇ ગયું અને બાદમાં દર્દીને ઈંઈઞમાં લેવામાં આવ્યો હતા.
શનિવારે સવારે 12 આસપાસ ડોકર તેની ચેમ્બરમાં આવે છે પણ અહીં દર્દીની તપાસ અર્થે આવતા નથી. પરિવારે ડોક્ટરને બોલાવવાની માંગ કરી તો સ્ટાફે કહ્યું કે અમને ખબર જ હોય કે શું ટ્રીટમેન્ટ આપવાની છે. ત્યાર બાદ ડોક્ટર દર્દીના સગાને તેની ચેમ્બરમાં બોલાવે છે અને પૂછે છે કે દર્દીને કોઈ વ્યસન છે કે નહીં? ડોક્ટર ધવલ અજમેરાએ કહ્યું કે, દર્દીના પાર્ટ્સ ડેમેજ થઇ ગયા છે. જેથી પરિવારે તેમના અન્ય એક ઓળખીતા થેરાપી જાણનાર પાસે સમગ્ર હકીકત જાણી તો તેમણે કહ્યું કે, આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. પરિવારે આ વાત પરથી હવે શું થશે તેનો અંદાજ આવી ગયો. પરિવારે આક્ષેપ કર્યા છે કે તેમના દીકરાને ઓવર ડોઝ આપી દેવાયા છે, ટ્રીટમેન્ટ કરવામાં ડોક્ટરની ગંભીર બેદરકારીઓ પણ છે. તેમજ ઘણી સત્ય હકીકતો છુપાવવામાં આવી છે. શનિવારે પરિવારે જરૂરી સમયે ડોક્ટરને બોલાવવા કહ્યું તો સ્ટાફે કહ્યું કે સર હવે નહીં આવે અને ફંશનમાં જતા રહ્યા છે. જો કે બાદમાં યુવાન મૃત્યુ પામ્યો હતો.
પરિવારે કહ્યું કે, હોસ્પિટલે બોડી સોંપવામાં ઘણીવાર લગાડી હતી અને મજબુરીનો લાભ લઈને સહીઓ કરાવ્યા બાદ બોડી સોંપી હતી. પરિવારે અંદાજે 30થી 40 હજાર રૂપિયાનો ખર્ચ પણ કર્યો. આ મામલે પરિવારે ન્યાયની માગ કરી છે.



