ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પરસ્પર સંકલનથી કાર્ય થશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.10
- Advertisement -
આગામી થોડા સમયમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના છેવાડાના સમુદ્રી જિલ્લા ગીર સોમનાથ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પ્રશાસન વચ્ચે એક સંયુક્ત ચૂંટણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આંતરરાજ્યીય એવી આ ચૂંટણી બેઠકમાં બંને રાજ્ય વચ્ચે પરસ્પર સંકલન અને સહકારથી કાર્ય કરવા માટે અધિકારીઓએ સહમતિ વ્યક્ત કરી પરસ્પરના સંકલનમાં રહીને સારી રીતે ચૂંટણી પાર પાડવાની નેમ વ્યક્ત કરી હતી.ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ બંને રાજ્ય વચ્ચે પરસ્પર સંકલન સારું રહેશે તો ચૂંટણી બહુ સારી રીતે સંકલનથી પાર પાડી શકાશે તેમ જણાવ્યું હતું, તો દીવ કલેકટર શ્રી ભાનુપ્રિયા એ પરસ્પર સંકલનથી આપસી સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકાશે તેવો મત કર્યો હતો.