સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
- Advertisement -
જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. અને ગંદકી તથા કચરાના ઢગલાઓ પડ્યા હોવાથી ગંદકીનુ સામ્રાજ્ય સર્જાયુ છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઇ ન કરવાથી અહીંના સ્થાનિક લોકોને ભારે મુશ્ર્કેલીઓ પડી રહી છે. નગરપાલિકામાં અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામા આવી છે. છતાંપણ નગરપાલિકા પેટનું પાણી હલતુ જ નથી. છેલ્લા ધણાં સમયથી પાલિકા દ્વારા પીપળીકાંઠા વિસ્તારામાં સફાઇ કરવામાં આવતી ન હોવાથી આવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થયેલ છે જેથી હાલ વહીવટદાર નગરપાલિકા શાસન ચાલી રહ્યુ છે. નગરપાલિકા દ્વારા અનેક વોર્ડમાં નિયમિત સફાઈ કરવામા આવે છે. પરંતુ મહત્વની વાત છે કે માત્ર પીપળીકાંઠા વોર્ડ નંબર-3,4 માં જ શા માટે સફાઇ કરવામાં આવતી નથી. અને કોઈ રાજકીયના ઇશારાના લીધે આવુ ચાલી રહ્યુ છે કે શુ? તેવો સવાલ ઉઠ્યો છે.
અહીનાં સ્થાનિક રોહિસો નિયમિત પણે પાલિકામાં વેરો પણ ભરવામાં આવે છે. છતાંપણ સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા ઘોર બેદરકારી સામે આવી છે. આ બાબતે નગરપાલિકાના માજી સદસ્ય ધર્મેશભાઇ બારૈયાએ જણાવેલ કે, અમારા વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી પાલિકા દ્વારા સફાઇ કરવામા આવતી નથી. અનેકવાર રજૂઆત કરી છતા કોઇ ધ્યાન આપતું નથી. નગરપાલિકા સામે લોકોમા ભારે જોવા મળ્યો છે. ગંદકી તેમજ કચરાનો ઢગલાઓ પડ્યા છે જેના કારણે ભારે મુશ્ર્કેલીનો સામનો કરવો પડે છે. નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સફાઇની કામગીરી નિયમિત કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમા જણાવેલ જો આવનારા દિવસમાં અમારા વિસ્તારમાં સફાઇના પ્રશ્ર્નો પાલિકા દ્વારા નિકાલ કરવામા નહીં આવે તો ગાંધી ચીઘ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.