રજા આપતી વેળાએ નર્સે એક પછી એક ચાર ઇન્જેકશન આપી દીધા
તબીબી બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે ફોરેન્સિક પીએમની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતાં 8 માસના આફતાબ અલ્તાફભાઈ અંસારીની તબિયત બગડતાં તેને મોહીત બેબી કેર હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. પરંતુ રાતે મૃત્યુ થતાં ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃત્યુ પામનાર બાળક એક બહેનથી નાનુ હતું. પિતા અલ્તાફ અંસારી ભંગારનો ધંધો કહે છે તેણે કહ્યું હતું કે, દિકરાને 15મીએ તાવ જેવુ થતાં દવા લીધી હતી.પછી આંચકી જેવું આવતા મોહિત બેબી કેરમાં દેખાડવા લઈ ગયા હતાં. ત્યાં રિપોર્ટ થતાં ડેંગ્યુ આવ્યો હતો
- Advertisement -
જેથી ડોક્ટરે દાખલ કરવાનું કહેતા અમે દિકરાને દાખલ કર્યો હતો 17મીએ ફરી રિપોર્ટ થતાં ડેંગ્યુ નેગેટીવ થઈ જતાં ડોક્ટરે રજા આપવાની વાત કરી હતી એ પછી ગઈકાલે રજા આપતી વખતે નર્સ દ્વારા અમારા દિકરાને એક સાથે એક પછી એક થોડી મિનિટોના ગાળામાં ચારેય ઇન્જેકશન આપી દેવાયા હતાં તે વખતે મારા પત્નિ તબ્બસુમબાનુએ એક સાથે ચાર ઈન્જેક્શન આપવાના છે કે કેમ? તે અંગે નર્સને પુછતાં કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ બાળક ઉંઘમાં જતું રહ્યું હોય તેવી હાલત થઈ ગઈ હતી અને અમને રજા અપાતાં અમે ઘરે ગયા હતા.સાંજે ફરીથી બાળકની તબિયત બગડી હતી અને ફરી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.પણ આ વખતે મારા દિકરાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.આ ઘટનામાં બેદરકારી દાખવાઈ હોવાનું લાગતાં અમે બાળકના મરણનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી.