ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું
વિમાનમાંથી 135 યાત્રીઓને સુરક્ષિત બહાર કઢાયા
- Advertisement -
મુંબઈથી આવતા એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની સૂચના મળતા તિરુવનંતપુરમ એરપોર્ટ પર આજે સવારે 7.30 વાગ્યે ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવાયું હતું. વિમાનને આઈસોલેશન બેમાં રખાયું છે અને તપાસ કરાવાઈ રહી છે અને 135 યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ મુંબઈથી આવી રહેતા એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની સૂચના મળતા વિમાનમાં સવાર 135 યાત્રીઓમાં ભય ફેલાયો હતો. તેમ શાંત રહેવાનું કહેવામાં આવ્યું હતું.
તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાન મથક દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ફલાઈટમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. જેને લઈને ફલાઈટની ઈમરજન્સી લેન્ડીંગ કરાવાઈ હતી. વિમાન મથક પર ઈમરજન્સી જાહેર કરાઈ હતી અને 135 યાત્રીઓને સુરક્ષિત બહાર કઢાયા હતા.