મુંબઇ, દિલ્હી, ગોવા સહિતની 9 ફ્લાઇટ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારીનો કહેર હળવો થતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવાઇ સેવામાં વધારા સાથે મુસાફરોનો ટ્રાફિક પણ વધવા લાગ્યો છે. અને તેની સાથે રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. પહેલા માત્ર સપ્તાહમાં 4 દિવસ જ હવાઇ સેવા શરૂ હતી. જ્યારે હવે આગામી તા.15મી જુલાઇથી સ્પાઇસ જેટ કંપની મુંબઇ, દિલ્હી, ગોવા, હૈદરાબાદ સહિતની 9 જેટલી ડેઇલી ફ્લાઇટ ઉડાન ભરશે. જેમાં રાજકોટ-મુંબઇની 144 બેઠકની ફ્લાઇટ અને અન્ય શહેરની 78 બેઠકની ફ્લાઇટ જાહેર કરાય છે.
હાલ ઈન્ડિગો કંપની દ્વારા જુલાઇનું ફ્લાઇટ શિડ્યુલ જાહેર થયું છે. જેમાં 12મી જુલાઈથી સોમ,બુધ,શુક્ર અને રવિવારના દિવસે ફ્લાઇટ મુંબઈથી રાજકોટ સવારે 10:35 વાગ્યે ટેક ઓફ કરશે અને 11:45 વાગ્યે લેન્ડ થશે. એ જ રીતે રાજકોટથી મુંબઈ જવા ફ્લાઇટ બપોરે 12:15 વાગ્યે મુંબઈ જવા ટેક ઓફ કરશે અને 01:15 વાગ્યે મુંબઈ લેન્ડ થશે. દિલ્હીથી રાજકોટ માટે પણ હવાઈ સેવા શરુ કરવામાં આવી છે.
- Advertisement -
જેમાં બુધ, શુક્ર અને રવિવારના દિવસે ફ્લાઇટ દિલ્હીથી રાજકોટ સવારે 10:10 કલાકે ટેક ઓફ કરશે, રાજકોટ બપોરે 12:35 કલાકે લેન્ડ થશે, એ જ રીતે રાજકોટથી દિલ્હી જવા ફ્લાઇટ બપોરે 01:05 વાગ્યે ટેક ઓફ કરશે અને 02:55 વાગ્યે દિલ્હી લેન્ડ થશે. ફલાઇટનું શિડયુલ જાહેર થતા રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓને હવાઇ સેવા ઉપયોગી નીવડશે.