તપાસ સમિતિ દુર્ઘટનામાં એકમાત્ર જીવીત બચેલાં વિશ્ર્વાસ પાસેથી માહિતી મેળવશે, એર ઇન્ડિયા પ્લેનના કાટમાળમાંથી ગુજરાત DVRને ઉટછ મળ્યું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં ઉગઅ ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 270થી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. જ્યારે, રૂપાણી સહિત 40 મૃતકના ઉગઅ મેચ કરવાના બાકી છે. ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરવામાં આવી છે. આ વચ્ચે ઙખ સિવિલ પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં જીવત બચેલા એકમાત્ર વિશ્ર્વાસ કુમારની મુલાકાત લીધી હતી. 15 મિનિટ જેટલો સમય તેઓ હોસ્પિટલમાં રોકાયા હતા. 12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે ઈંૠઙ કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે.
રાજ્ય સરકારે દુર્ઘટનાનો ભોગ બનેલા સગાં-સંબંધીઓ માટે સર્કિટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રોકાણની તથા સિવિલ હોસ્પિટલથી અન્ય સ્થળોએ પહોંચવાની વ્યવસ્થા કરી છે. જે યાત્રીઓના પરિજનો અથવા સંબંધીઓ દુર્ઘટના સંબંધે અમદાવાદ આવ્યા હોય તેઓએ આ વ્યવસ્થા માટે કંટ્રોલ રૂમ ફોન નં.-079-23251900, કંટ્રોલ રૂમ મોબાઇલ નં.- 9978405304 અથવા કૃણાલ પટેલ(માર્ગ-મકાન વિભાગ): 9429610137 પર સંપર્ક કરવાનો રહેશે.
ગુજરાત અઝજના એક અધિકારીએ જણાવ્યું કે, ક્રેશ થયેલા એર ઇન્ડિયા પ્લેનના કાટમાળમાંથી અમને ઉટછ (ડિજિટલ વીડિયો રેકોર્ડિંગ) મળ્યું છે. ઋજકની ટીમ પણ ટૂંક સમયમાં આવી જશે.
DNA મેચ થયા પછી પરિવારને-સગાને સોંપવામાં આવશે: હોસ્પિટલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, પ્લેન દુર્ઘટનાના જે પ્રવાસી / હતભાગીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ ઉગઅ મેચ થયા પછી પરિવારને-સગાને સોંપવામાં આવશે. ઇઉં મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર ઙજખ વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે ઉગઅ સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉગઅ સેમ્પલ લીધા મેચિંગ માટે લેબમાં મોકલવામાં આવશે. ઘટનાની ગંભીરતા અને મૃતદેહ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા આ સમગ્ર ઉગઅ મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે. મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર 6357373831 અને 6357373841 પરથી મેળવી શકશે.
- Advertisement -
દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે
પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગ્યે અમેરિકાથી આવશે: ગાંધીનગરમાં અંજલિબેનને સાંત્વના આપવા મંત્રી-સાંસદ પહોંચ્યાં
દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધી રાજકોટમાં જ કરવામાં આવશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અગાઉ આજે(13 જૂન) સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતા. તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હાજર છે. હાલમાં દિવંગત વિજય રૂપાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ અને પરિવારજનો પહોંચી રહ્યા છે. વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. 3 દિવસ બાદ અંતિમ વિધિ થવાની શક્યતા. પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગ્યે આવશે. ઉગઅ મેચ થયા બાદ પરિવાર રાજકોટ આવશે.
PM મોદીએ રૂપાણીનાં પત્નીને એરપોર્ટ પર સાંત્વના આપી
PM મોદી સવારના 8.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ 9.10 વાગ્યે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેઓ 15 મિનિટ સુધી રોકાયા હતા અને ત્રીજા માળ પર 10 મિનિટ સુધી ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા. ત્યાર બાદ તેઓ 9.45 વાગ્યે એરપોર્ટ જવા નીકળ્યા હતા, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનાં પત્ની અંજલિબેનને મળીને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા. જ્યારે વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટથી તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. આ પહેલાં વડાપ્રધાન મોદી સિવિલમાં ઈજાગ્રસ્ત મેડિકલ સ્ટુડન્ટોને મળ્યા હતા. જે વોર્ડમાં હોસ્ટેલના ડોક્ટર અને નર્સ હાજર હતાં તેમને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા તેમજ પ્લેન ક્રેશમાં બચી જનારા એકમાત્ર મુસાફર એવા વિશ્ર્વાસના પણ ખબરઅંતર પૂછ્યા હતા.