ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
સરકારે અગ્નિપથ યોજનાને ફેરફારો સાથે ફરીથી શરૂ કરવાના સમાચારને નકારી કાઢ્યા છે. અને સોશિયલ મીડિયા પર ફરતા આવા મેસેજને નકલી ગણાવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
- Advertisement -
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ તેના સોશિયલ મીડિયા એક્સ પર સ્પષ્ટતા કરી છે કે “એક ફેક વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે અગ્નિપથ યોજનાને ઘણા ફેરફારો સાથે સમીક્ષા કર્યા પછી સૈનિક સન્માન યોજના’ તરીકે ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં સેવાની અવધિ વધારીને 7 વર્ષ, 60 ટકા કાયમી સ્ટાફ અને આવકમાં વધારો સામેલ છે.’ ભારત સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લીધો નથી.
વિપક્ષ શરૂઆતથી જ અગ્નિપથ યોજનાની ટીકા કરી રહ્યો છે, તેણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આક્રમક રીતે તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસે વચન આપ્યું હતું કે જો તે કેન્દ્રમાં સત્તા પર આવશે તો આ યોજનાને બંધ કરી દેશે. અગ્નિપથ સ્કીમ એ “ટુર ઑફ ડ્યુટી સ્ટાઈલ” સ્કીમ છે, જે સશસ્ત્ર દળોની ત્રણેય સેવાઓમાં માત્ર કમિશન્ડ ઓફિસર્સની રેન્કથી નીચેના સૈનિકોની ચાર વર્ષની ભરતી માટે સપ્ટેમ્બર 2022માં લાગુ કરવામાં આવી હતી.