ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જૈન પરિવાર સ્વ. ભરતભાઈ વસંતરાય બેનાણીનું અવસાન થતાં તેમના પુત્ર કુણાલભાઈની સહમતિથી અને ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યેશભાઈ ગાંધીની પ્રેરણાથી અને બે દૃષ્ટિહીન બાંધવને દૃષ્ટિ મળે તેવા ઉમદાભાવથી સ્વ. ભરતભાઈ બેનાણીના ચક્ષુનું દાન જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઈ મોદી તથા વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને ચક્ષુદાન અભિયાનના અનુપમભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને બંને સંસ્થાઓનું આ 151મું ચક્ષુદાન છે. ચક્ષુદાન માટે કોઈ પણ સમયે સમિતિના અનુપમ દોશી 9428233796 અથવા ઉપેનભાઈ મોદી 9824043143નો સંપર્ક કરી શકાશે.