અહેવાલ મુજબ, અભિનેતા અક્ષય કુમાર ફિલ્મમાં 80 ટકા હિસ્સો ધરાવે છે
આ ફિલ્મ મૂળ 20 ડિસેમ્બર, 2024 ના રોજ રિલીઝ થવાની હતી
- Advertisement -
‘વેલકમ ટુ ધ જંગલ’ની સ્ટારકાસ્ટ છે ઘણી મોટી
અહેમદ ખાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની સ્ટારકાસ્ટ ઘણી મોટી છે. જેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, દિશા પટની સહિત લગભગ 20 સેલેબ્સ જોવા મળશે. મેકર્સે 2023માં આ ફિલ્મની જાહેરાત કરી હતી અને તેને ક્રિસમસ 2024 પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ હજુ સુધી સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નથી. ફિલ્મના શેડ્યૂલ છેલ્લી ઘડીએ કેન્સલ થઈ રહ્યા છે, જેના કારણે આ ફિલ્મ નાણાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે.
એક્ટર્સ અને સ્ટાફને ફી ન મળવાની સમસ્યા
- Advertisement -
અક્ષયની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ અટકી ગઈ છે. તેનું સૌથી મોટું કારણ કલાકારોની બાકી ફી અને નાણાકીય સમસ્યાઓ છે, જેના કારણે ફિલ્મ પૂરી થઈ રહી નથી. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો, ‘વેલકમ ટુ ધ જંગલ’નો મોટો ભાગ હજુ સુધી શૂટ થવાનો બાકી છે. ફિલ્મનું છેલ્લે શૂટિંગ ગયા વર્ષે ઓગસ્ટમાં થયું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘વેલકમ ટુ ધ જંગલ’માં 80 ટકા પૈસા અક્ષય કુમારના છે જ્યારે બાકીના 20 ટકા ફિરોઝ નડિયાદવાલાએ રોકાણ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘વેલકમ ટુ ધ જંગલ’ના કોઈપણ કલાકારને અત્યાર સુધી તેમની ફીનો 10% ભાગ પણ મળ્યો નથી. એટલું જ નહીં, સ્ટાફનો પગાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
2-3 શેડ્યૂલ થયા કેન્સલ
મીડિયા રિપોર્ટ અનુસાર, જૂન મહિનાનું એક શેડ્યૂલ હતું જે કેન્સલ થઈ ગયું છે. છેલ્લા 6 મહિનામાં ફિલ્મના 2-3 શેડ્યૂલ કેન્સલ થઈ ચૂક્યા છે. જેના કારણે એક્ટર્સની ટીમ પણ મૂંઝવણમાં છે. એક્ટર્સ પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાલાને ‘વેલકમ ટુ ધ જંગલ’ના શૂટિંગ માટે તારીખો આપી રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ લોજિસ્ટિક અને નાણાકીય સમસ્યાઓના કારણે તેને રદ કરવામાં આવ્યું.