તા. 1 થી 30 જુન સુધી મિલ્કત વેરોમાં કુલ 15415 મિલ્કતધારકએ લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને 2023-24ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં તા. 1 થી 30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 5% અને મહિલા મિલ્કતધારકને 10% વળતર આપવામાં આવેલ, જેમાં કુલ 15415 મિલ્કતધારકએ લાભ લીધો: કુલ રૂ. 13.98 કરોડનો વેરો ભરપાઈ કર્યો અને કુલ રૂ. 48.96 લાખનું વળતર આપવામાં આવ્યું. તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના તા. 12-04-2023થી શરૂ કરવામાં આવી હતી જેમાં તા. 12-04-2023થી તા. 30-06-2023 સુધીમાં કુલ 309247 મિલ્કતધારકોએ કુલ રૂ. 211.82 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. શહેરના કુલ 207133 મિલકતધારકોએ રૂ. 127.20 કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જેમાં કુલ રૂ. 21.64 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ વધુ 24672 કરદાતાઓએ રૂ. 34.6 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.