અદાણી ટ્રાન્સમિશન 2032 સુધીમાં તેના સંપૂર્ણ સ્કોપ 1 અને 2 ૠઇંૠનું 72.7% ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે
નાણાકીય વર્ષ 26-27 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો 60% સુધી વધારવા અને ઉત્સર્જન ઘટાડવાના અન્ય પગલાઓની યોજના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વૈવિધ્યસભર અદાણી ગ્રુપના એક અંગ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિ.(અઝક) એ વાતાવરણમાં કાર્બનનું પ્રદુષણ ધટાડવાની દીશામાં હાથ ધરેલા નક્કર પ્રયાસોના ભાગરુપે તેની ગ્રીન હાઉસ ગેસ (ૠઇંૠ)ના ઉત્સર્જન ઘટાડવાની યોજનાઓ અને નિર્ધારીત લક્ષ્યાંકો ગલોબલ વોર્મિંગને આવરી લેતી પહેલ કરનાર વિજ્ઞાન આધારિત લક્ષ્યાંક પહેલ (જઇઝશ)ને સુપ્રત કર્યા છે. કંપનીએ ગ્લોબલ વોર્મિંગને આવરી લેવામાં યોગદાન આપવાની પોતાની પ્રતિબદ્ધતાથી એક વર્ષમાં જઇઝશને ૠઇંૠ ઉત્સર્જન ઘટાડવા માટે તેની વિગતવાર યોજના અને લક્ષ્યાંકો સુપ્રત કર્યા છે. ટકાઉ વૃદ્ધિ અને તેની નેટ ઝીરો તરફની સફર પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાના ભાગરૂપે અદાણી ટ્રાન્સમિશન લિ.એ ઓક્ટોબર 2021માં જઇઝશ સમક્ષ તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અઝક અત્યંત જરૂરી ક્લાયમેટના પગલાં સાથે તાલમેલ સાધી કાર્ય કરશે અને ગ્લોબલ વોર્મિંગને 1.5 ઓઈ સુધી મર્યાદિત રાખવાની વ્યૂહરચના ઘડી કાઢશે.
જઇઝશ સમક્ષ જાહેર કરેલી પ્રતિબદ્ધતા સાથે સંકળાયેલા આ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે અદાણી ટ્રાન્સમિશન લિ. એ ચોક્કસ વ્યૂહરચના બહાર પાડી છે.
અદાણી ટ્રાન્સમિશનના મુખ્ય કારોબારી અધિકારી અને મેનેજિંગ ડાયરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે “ભારતના ક્લાયમેટ સંબંધી કેન્દ્રિત તમામ પહેલોને ગંભીરતાથી લઈએ છીએ અનેે પ્રતિબદ્ધતામાં અમે નિર્ણાયક પગલાઓ મારફત યોગદાન આપીએ છીએ.” જઇઝશ માટે લક્ષ્યાંકો સુપ્રત કરવામાં વ્યવસાય કરવા માટેની ટકાઉ રીતો ઘડવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પડે છે. તે વ્યક્તિગત અને સામૂહિક પગલાં દ્વારા ક્લાયમેટનું જોખમ ઘટાડવાના ભારતના પ્રયાસોને પણ મજબૂત બનાવે છે. સબ-સ્ટેશનો ખાતે ઊર્જા કાર્યક્ષમતા પહેલ, સૌર ઉર્જા સાથે જોડતી વખતે સહાયક શક્તિ માટે સબસ્ટેશનોને ગ્રીડમાંથી ડી-લિંકિંગ અને નુકસાન ઘટાડવાના હેતુથી કાર્યક્ષમ ટ્રાન્સમિશન લાઇનને દાખલ કરવા જેવી અનેક નાની પ્રક્રિયાઓના કલ્મિનેશન સાથે જોડવાના આ સંયુક્ત વ્યાપક પગલાઓ ગ્રીન ટેરિફ તરીકે પ્રવેશવાથી અઊખકને સકારાત્મક ક્લાયમેટ એક્શન હાંસલ કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે.”
- Advertisement -
પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ માટે ભારતની પ્રતિબદ્ધતાઓના સંદર્ભમાં જઇઝશ માટે હાથ મિલાવવા એ એક મહત્વપૂર્ણ પગલું છે. અદાણી ટ્રાન્સમિશન લિ.2021માં ગ્લાસગોમાં યોજાયેલ ઈઘઙ26 ખાતે યુએન એનર્જી કોમ્પેક્ટના એક હસ્તાક્ષરકાર બની હતી. જઇઝશ મારફત કંપનીઓ વિજ્ઞાન આધારિત ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો નક્કી કરી રહી છે તેમની સમગ્ર મૂલ્ય સાંકળ ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સમય કરતાં 1.5ઓઈ સ્તર ઉપર રાખવા સાથે સુસંગત છે. જઇઝશ પ્રતિબદ્ધ કંપનીઓને પોતાના લક્ષ્યાંકો સુપ્રત કરવા માટે 24 મહિના મળે છે. કંપની ઑક્ટોબર 2021માં જઇઝશ માટે પ્રતિબદ્ધ થયા બાદ એક વર્ષમાં જ ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકો રજૂ કરનાર કેટલીક કંપનીઓ પૈકીની એક છે.
જઇઝશ એ ઈઉઙ, યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ કોમ્પેક્ટ, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (ઠછઈં) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (ઠઠઋ) વચ્ચેનો સહયોગ છે. તે વિજ્ઞાન-આધારિત લક્ષ્ય નક્કી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસોને વ્યાખ્યાયિત કરી અને પ્રોત્સાહન આપવા સાથે સ્વતંત્ર રીતે કંપનીઓના લક્ષ્યોનું મૂલ્યાંકન કરે છે.