ફુલ સ્પીડમાં ટ્રક સ્લીપર બસમાં ઘૂસી: ખાટુશ્યામજી જઈ રહ્યા હતાં વલસાડના યાત્રીઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજસ્થાન
- Advertisement -
સિકરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ઘાયલ બસ-કંડક્ટરે બુધવારે સવારે જયપુરમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં કુલ 28 લોકો ઘાયલ થયા હતા, તેમાંથી 6ની હાલત હજુ પણ ગંભીર છે. આ અકસ્માત મંગળવારે મોડીરાત્રે 10:40 વાગ્યે જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર ફતેહપુર પાસે થયો હતો.
બસમાં સવાર તમામ મુસાફરો વલસાડ (ગુજરાત)ના રહેવાસી છે. આ બધા વૈષ્ણોદેવીનાં દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા અને ખાટુશ્ર્યામજી જઈ રહ્યા હતા. બસમાં લગભગ 50 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, સ્લીપર બસ બિકાનેર તરફથી જયપુર જઈ રહી હતી. જ્યારે ટ્રક ઝુંઝુનૂથી બિકાનેર તરફ જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ટ્રક આગળથી બસમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે જોરદાર ધડાકો થયો. બસની કેબિન અને એની પાછળ બેઠેલા મુસાફરો સૌથી વધુ ઘાયલ થયા છે. ઘાયલોનાં શરીરમાં કાચ-મેટલના ટુકડા ઘૂસી ગયા.
ફતેહપુર સદર પોલીસ સ્ટેશનના જઇંઘ સુરેન્દ્ર દેગડાએ જણાવ્યું હતું કે અકસ્માત મોડીરાત્રે થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સ્લીપર બસ બિકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી, જ્યારે ટ્રક જયપુરથી બિકાનેર તરફ આવી રહી હતી. હાઈવે પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલાં બંને વાહનો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી.
અકસ્માત પછી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને મુસાફરોમાં ભય તથા દહેશતનો માહોલ છવાઈ ગયો. સ્થાનિક લોકોએ તરત જ બચાવ ટુકડી અને પોલીસને જાણ કરી. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા અને ઘાયલોને બહાર કાઢવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા.
અકસ્માતમાં બસના મુસાફર મયંક અને ડ્રાઈવર કમલેશનું મોત થયું. એક મૃતકની ઓળખ થઈ નથી. જ્યારે કંડક્ટર મિતેશને સિકરની એસકે હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં રિફર કરવામાં આવ્યો હતો, જેનું બુધવારે સવારે મોત થયું.
અકસ્માતમાં વધુ ઘાયલ થયેલા લોકોમાં અનંત, તુષાર પુત્ર અર્જુન, રાજેશ પુત્ર ઓમપ્રકાશ, પ્રવીણ પુત્ર બાબુભાઈ, રંજના પત્ની સુરેશભાઈ, મુક્તાબેન પુત્રી શૈતાન સિંહ, આશિષ પુત્ર રામલાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિલેશ પુત્ર અમિત, સુહાની પુત્રી અમિત, કરમલબેન, જમવંત પુત્ર ઉદારામ, સુદાબેન પુત્રી ઉત્તમ, અર્જુન પુત્ર ઉકલભાઈ, અમિત પુત્ર રમણલાલ, શીલાબેન પત્ની મહેશભાઈને પણ સિકર રીફર કરવામાં આવ્યાં હતાં.
અકસ્માતમાં 13 લોકોને સામાન્ય ઈજા થઈ છે. તેમાં મહેશભાઈ, ગંગાબેન પત્ની ગોવિંદભાઈ, કંચન, સાકેત પાલ, લાડુ પુત્ર વિષ્ણુ, રમીલા, રણજીત, અર્જુન, સંગીતા, પરિતેશ, અતુલ, ઈન્દુબેન પત્ની જીવનભાઈ અને એક અન્યનો સમાવેશ થાય છે.



