શિક્ષકોની ભરતી માટે ટ્રસ્ટનો પ્રોજેક્ટ
જાડેજાએ એક પ્રોજેક્ટને લઈને ફેક ન્યૂઝ ફેલાવ્યા, પછીથી પોસ્ટ ડિલીટ કરી
- Advertisement -
સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી
1 કરોડ રૂપિયાના તોડકાંડના આરોપમાં જેલની હવા ખાઈ આવેલા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કાયમ વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતા મુદ્દાઓને લઈને સરકાર સામે તલવાર તાણતા રહે છે. પરંતુ આ વખતે તેમણે એવા એક મુદ્દે સરકારને ઢસડી છે, જેમાં સરકારને કશું લાગતું-વળગતું જ નથી. એક ખાનગી સંસ્થાના પ્રોજેક્ટને ‘સરકારી’ ગણાવીને તેમણે ડ પર જાતજાતના દાવા કરતી પોસ્ટ કરી હતી, પરંતુ પછીથી ભૂલ સમજાતાં ડિલિટ કરી દીધી હતી. યુવરાજસિંહ જાડેજાએ ડ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો કે રાજ્ય સરકાર ‘જ્ઞાન સહાયક’ યોજના બાદ હવે ‘શાળા સંગાથી’ નામનો એક પ્રોજેક્ટ લાવી છે. તેમની પોસ્ટની પહેલી જ લીટી આ પ્રકારે હતી- ‘જ્ઞાન સહાયક પ્રયોગની ભવ્ય સફળતા બાદ ભાજપ સરકારનું નવું નજરાણું શાળા સંગાથી.’
ત્યારબાદ તેમણે દાવો કર્યો કે, સરકાર આ પ્રોજેક્ટ થકી સંદેશ આપવા માંગે છે કે યુવાનો કાયમી નોકરી ભૂલી જ જાય. સાથે કહ્યું કે, આ પ્રોજેક્ટથી કોન્ટ્રાક્ટના આધારે શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને યુવાનોએ ઇઅ, ખઅ, ઇ.યમ, ખ.યમથી માંડીને કોઇ પણ ડીગ્રી મેળવી હોય અને ટેટ અને ટાટ પણ પાસ હોય તોપણ નોકરી 11 મહિનાના કરાર આધારે જ કરવાની રહેશે. તેઓ આગળ લખે છે કે, હવે તમારા બાળક માટે શાળામાં કાયમી શિક્ષક નહીં મળે અને જેનાં ખુદનાં ભવિષ્યનાં ઠેકાણાં નહીં હોય તેઓ તમારા બાળકનું ભાવિ ઘડશે. આગળ યુવરાજસિંહ જાડેજાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આરોપ લગાવ્યા છે અને લખ્યું કે, સરકારે જ્ઞાન સહાયક યોજના પણ વૈકલ્પિક વ્યવસ્થા ગણાવી હતી અને હવે આ જ યોજનાને નવાં લટકણિયાં લગાડીને અલગ ગતકડાં તરીકે થોપવામાં આવી રહી છે. સાથે મતદાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તમે કાલે જ મતદાન કરીને આવ્યા હશો અને આજથી ભોગવવાનું ચાલુ. ત્યારબાદ તેમણે ભાજપના લોકસભા ચૂંટણીના ‘400 પાર’ના નારા પર પણ કટાક્ષ કર્યો.
- Advertisement -
યુવરાજસિંહ જાડેજાની આ પોસ્ટ તો હવે ડિલીટ કરી દેવામાં આવી છે, પરંતુ તેનો સ્ક્રીનશોટ ઉપલબ્ધ છે. સાથે તેમણે જે ત્રણ ફોટા મૂક્યા હતા તે પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. આ પોસ્ટ વાંચીને એમ લાગ્યા વગર રહે નહીં કે ભાજપ સરકાર હવે નવી એક યોજના ‘શાળા સંગાથી’ લાવી છે અને તેમાં પણ ‘જ્ઞાન સહાયક યોજના’ની જેમ કરાર આધારિત ભરતી કરવામાં આવશે. પરંતુ વાસ્તવમાં એવું નથી. હકીકત જાણવા માટે બીજી કોઇ વધુ તપાસની જરૂર નથી. યુવરાજસિંહે પોસ્ટમાં જે ત્રણ પાનાં અને એક જાહેરાત મૂક્યાં છે તે જ ફેક્ટચેક માટે પૂરતાં છે. કારણ કે તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ એક ખાનગી ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે અને તેનો હેતુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાનો છે. પરંતુ તેમાં સરકારને કશું જ લાગતું-વળગતું નથી.
આ પાનાં યુવરાજસિંહ જાડેજાએ પોતાની પોસ્ટમાં મૂક્યાં હતાં, જે પોસ્ટ હવે અસ્તિત્વ ગુમાવી ચૂકી છે યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટમાં જે ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ જોડ્યો હતો, તેમાં જણાવવામાં આવ્યું છે કે, સમાજમાં આજે શિક્ષણની તાતી જરૂરિયાત છે અને તેને ધ્યાને લેતાં સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘શાળા સંગાથી’ નામની આ યોજના શરૂ કરવામાં આવી છે. અહીં સ્પષ્ટ લખ્યું છે કે આ પ્રોજેક્ટ એક ખાનગી ટ્રસ્ટનો છે, સરકારના શિક્ષણ વિભાગનો નહીં. સંસ્થાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત અને માઈન્ડસેટ સમજીને તે અનુરૂપ ભણાવનારા શિક્ષકોની ઘટ પૂરી કરવાનો આ પ્રયાસ છે.આગળ જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરીને શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જે થકી 500 જેટલા શિક્ષકોને રોજગારી આપવાની તૈયારી છે. યાદ રહે કે, જે શિક્ષકોની આ ટ્રસ્ટ ભરતી કરશે તેમને રોજગારી પણ પોતે જ આપશે, તેમાં સરકારે કશું જ જોવાનું નથી.