સરગમ ક્લબ તેમજ લંડન ર્માં કૃપા ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે આયોજન
ત્રણ દિવસ કેમ્પમાં 86 દર્દીએ લાભ લીધો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાસ્કૃતિક, સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને લંડન મા કૃપા ફાઉન્ડેશન જયંતિભાઈ ખંગ્રામ ના સયુંકત ઉપક્રમે તા.1/10/2024 થી 3/10/2024 ના રોજ આ જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ 86 દર્દીઓ એ લાભ લીધો જેમાં કેલીપર્સ નાં દર્દી 38 લેગ (પગ) નાં દદી 36અને રીપેરીંગ 12 દર્દી વિનામૂલ્યે લાભ લીધો હતો.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને શ્રી જયંતિભાઈ ખંગ્રામ એ જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પમાં અમોને મા કૃપા ફાઉન્ડેશન (લંડન) ટ્રસ્ટી જયંતીભાઈ ખંગ્રામ, રશ્મીભાઈ શાહ. અશોકભાઈ ડાલિયા, રમેશભાઈ પોપટ, બ્રિજેશભાઈ મોદીનો સહયોગ મળેલા છે. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ જતથા જયંતિભાઈ ખંગ્રામ તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ. આ કેમ્પ ને સફળ બનાવવા માટે શ્રી દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે તથા સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મિરાણી, અનવરભાઈ ઢેબા, કનૈયાલાલ ગજેરા, તેમજ અલકાબેન કામદાર, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, મધુરીકાબેન જાડેજા, કૈલાશબા વાળા, આશાબેન ભૂછ્ડા, સુધાબેન દોશી, જયશ્રીબેન વ્યાસ, હર્ષાબેન પીઠડીયા, મિતલબેન ચગ, દિવ્યાબેન ઉમરાણીયા, ગીતાબેન ઉનાગર વગેરે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ માં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરે સેવા આપેલ આવનારા તમામ દર્દી ઓને વિના મુલ્યે ચા પાણી આપવામાં આવેલ. દિવાળી તહેવારને અનુલક્ષીને આગામી કેમ્પ તા.7/11/2024 થી 09/11/24નાં રોજ 3 દિવસ માટે યોજાશે.
- Advertisement -