G20, સૌરાષ્ટ્ર યુનિ. તથા IIC કમિટીના સયુંકત ઉપક્રમે વિદ્યાર્થીઓને ઉદ્યોગો સ્થાપવા માટે માર્ગદર્શન અપાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનોસાયન્સ ભવન ખાતે એક દિવસીય ઉદ્યોગો કઈ રીતે સ્થાપવા તે અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈંઈંઝ મુંબઈથી પ્રશિક્ષિત તથા રાજકોટની ઇન્ડસ્ટ્રીમાં નવા નવા ઉદ્યોગો શરૂ કરવાવાળા આનંદ સાવલિયાએ વિદ્યાર્થીઓને એક નવતર વિચાર, જો સરસ રીતે યડ્ઢયભીયિં કરવામાં આવે તો કેટલું સરસ પરિણામ આપે છે એના દાખલાઓ આપ્યા. માત્ર અંગત વિકાસ નહીં, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પણ આપણે યોગદાન આપવું જોઈએ એ વિદ્યાર્થીઓને પણ સમજાવ્યું.
- Advertisement -
શેરડીના રસના ચિચોડામાં ક્રાયોજેનિક ટેકનોલોજી ઉમેરીને ઠંડો રસ સાવ નજીવી કિંમતે આપવાની તકનીક વિકસિત કરનાર રાજકોટના આગળ પડતા ઉદ્યોગપતિ જયેશભાઇ રાઠોડ પણ આ સેમિનારમાં ઉપસ્થિત હતા. સમગ્ર સેમિનારને સફળ બનાવવા માટે ૠ20 અને ઈંઈંઈ કમિટીના વિવિધ હોદ્દેદારો ડો. હિતેશભાઈ શુકલા, ડો. રંજનબેન ખૂંટ, ડો. હરિકૃષ્ણ પરીખ, તથા નેનોસાયન્સ ભવનના અધ્યક્ષ ડો. ભરતભાઇ કટારીયા, ડો. અશ્વિની બેન જોષી, ડો. આશિષ રાવલિયા તથા ડો. ચિરાગ સાવલિયાએ જહેમત લીધી હતી.