15 દિવસ પહેલા યુવાનની સગાઇ થઇ હતી, રવિવારે લૂ લાગ્યા બાદ હાર્ટએટેક આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જિલ્લા સેવા સદનમાં આવેલી પ્રાદશિક રિજનલ કમિશનર કચેરીમાં આઉટ સોર્સથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને રામાપીર ચોકડી પાસે આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા ઇશીત કમલેશભાઇ પંચોળી (ઉ.વ.25)નું હાર્ટએટેકથી મોત નીપજ્યુ હતું. રવિવારે લૂ લાગ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હોવાનું ખુલ્યુ છે.
બનાવના પગલે તાત્કાલીક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
- Advertisement -
જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ આશાસ્પદ યુવાનની હજુ 15 દિવસ પહેલા જ સગાઇ થઇ હતી. પરિવારમાં માતા-પિતા અને એક બહેનમાં ઇશીત નાનો હતો. આ બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. બનાવના પગલે પ્રાદેશિક કમિશનર કચેરીમાં ફરજ બજાવતા કમિશનર સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે પહોચ્યો હતો અને પરિવારને સાંતવના પાઠવી હતી.