By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ
    1 day ago
    અમેરિકાના પૂર્વીય દરિયા કિનારા પર ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે મુસાફરી ખોરવાઈ
    2 days ago
    અમેરિકા પાક.માં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે
    2 days ago
    રશિયાનો ભારે હવાઈ હુમલો: યુક્રેન પર એકસાથે 309 હુમલાઓ, 11નાં મોત
    2 days ago
    ટ્રમ્પે 70 દેશો માટે ટેરિફ દરોમાં ફેરફાર કર્યા. પાકિસ્તાન, બાંગ્લાદેશ પર ઓછા ટેક્સનું ભારણ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂરની સફળતાથી અમુક લોકોને પેટમાં દુ:ખે છે: ઙખ મોદી કાશીમાં
    1 day ago
    અસલામત માર્ગો માટે સરકાર જવાબદાર: સુપ્રીમ કોર્ટ
    1 day ago
    નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરનો સામાન પડી જવાથી નાસભાગ.. સરકારનો ખુલ્લાસો
    2 days ago
    હિમાચલ પ્રદેશ: ભારે વરસાદ વચ્ચે મંડીમાં ભૂસ્ખલનથી ચંદીગઢ-મનાલી હાઇવે બંધ
    2 days ago
    જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સેનાએ કહ્યું કે “ઓપરેશન અખાલ” ચાલુ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    3 days ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    4 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    7 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    1 week ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    2 days ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    2 days ago
    પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
    3 days ago
    કોલકાતામાં બાંગ્લાદેશી અભિનેત્રીની 2 આધાર કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો સાથે ધરપકડ કરાઈ
    3 days ago
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    1 day ago
    રક્ષાબંધન/ આ વર્ષે રખાડી બાંધવા માટે કયો સમય શુભ રહેશે? ચાલો જાણીએ
    2 days ago
    શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    2 days ago
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    6 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    5 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગણપતિ ઉત્સવમાં વિસર્જનને કારણે થતાં જંગી જળ પ્રદુષણને અટકાવીને મૂર્તિને વિસર્જિત કરવાની માનવતાપૂર્ણ રીત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ગણપતિ ઉત્સવમાં વિસર્જનને કારણે થતાં જંગી જળ પ્રદુષણને અટકાવીને મૂર્તિને વિસર્જિત કરવાની માનવતાપૂર્ણ રીત
AuthorHemadri Acharya Dave

ગણપતિ ઉત્સવમાં વિસર્જનને કારણે થતાં જંગી જળ પ્રદુષણને અટકાવીને મૂર્તિને વિસર્જિત કરવાની માનવતાપૂર્ણ રીત

Khaskhabar Editor
Last updated: 2022/09/06 at 3:52 PM
Khaskhabar Editor 3 years ago
Share
14 Min Read
SHARE

માત્ર જરૂરીયાત જ નહીં, માનવતા પણ જન્મ આપે છે, નવતર પ્રયોગોને… ચોકલેટમાંથી તેમજ અન્ય ખાદ્ય સામગ્રીમાંથી ગણેશ મૂર્તિ બનાવવાની અને એના કારણોની રસપ્રદ વાતો

તેઓ ખાદ્ય સામગ્રીમાંથી વિવિધ છ પ્રકારના ગણપતિ બનાવે છે. જેવા કે, ચોકલેટ ગણપતિ, ખીર ગણપતિ, ફાઈવસ્ટાર બારમાંથી પાંચ મિનિટમાં બનતાં ગણપતિ(બાળકો માટે ખાસ), હલ્દીમિલ્ક ગણપતિ, પંચામૃત ગણપતિ અને રોઝમિલ્ક ગણપતિ

- Advertisement -

રાજકોટનું ગૌરવ, રીંટુ કલ્યાણી રાઠોડ…

ખુદ સે ઉપર ઉઠ કે ભી તું દેખ કભી
આલમ બેઠી હૈ તુજ પે ઉમ્મીદ લગાકર…!

આ શેરને સાર્થક કર્યો છે આજના આ લેખના કેન્દ્રમાં રહેલા રીંટુબેન કલ્યાણીએ. પરંતુ એ પહેલાં થોડી બીજી વાતો…

- Advertisement -

આપણે ત્યા સ્ત્રીઓ દ્વારા હાથ ધરવામાં આવતા ખાદ્ય ઉત્પાદન કે અન્ય વ્યવસાયમાં, તેના હેતુ વિશે સામાન્ય રીતે બે બાબતો જોવા મળે છે. ઉચ્ચવર્ગની સ્ત્રીઓ મોટાભાગે પ્રવૃત્તિમાં રહેવાં કે સમય પસાર કરવાં અથવા તો સમાજમાં સ્ટેટ્સ ઉભું કરવા અને જરૂરિયાત વાળા કુટુંબમાં આર્થિક ઉપાર્જન માટે સ્ત્રીઓ કાર્યરત થાય છે. મહેનત, ધગશ અને લગન હોવા છતાં મોટાભાગે આવા સાહસો ગૃહઉદ્યોગ બનીને રહી જાય છે. અથવા અમુક કિસ્સાઓમાં, ઘર, પતિ અને લાગતા વળગતા લોકો દ્વારા સકારાત્મક સહકાર ઉપરાંત આર્થિક સદ્ધરતા હોય તો આગળ જતાં એ જ વ્યવસાય બ્રાન્ડ તરીકે વિકસે છે ઘણું નામ પણ પ્રાપ્ત થાય છે. પણ એનાથી આગળ, ઘણું આગળ કશુંક ઓર અનેરું ત્યારે થઈ જાય કે એ વ્યવસાય માત્ર વ્યવસાય કે ગૃહઉદ્યોગ કે સફળ બ્રાન્ડ જ ન રહેતાં, આ બધાની કક્ષાથી ક્યાંય આગળ નીકળીને જનઅભિયાન તરીકે લેખાય અને લોકોના હ્ર્દય સુધી પહોંચી જાય, જ્યારે આ વ્યવસાયમાં કુનેહ, મહેનત, ધગશની ઉપરાંત તે કરવા પાછળના કારણોમાં માનવતાવાદી અને જનહિતલક્ષી સાત્વિક ઉચ્ચ આશયો ભળે.

આજે મારે ઉપર કહ્યું એવી જ એક નિરાળી વ્યક્તિ અને તેની નિરાળી પ્રવૃત્તી વિશે વાત કરવી છે. એમના વિશે વાત કરું તો, મુળ રાજકોટના અને હવે મુંબઈ સ્થિત રીંટુબેન કલ્યાણી રાઠોડ, એક પ્રશિક્ષિત કોમર્શિયલ ડિઝાઇનર કે જેમણે કલાકૌશલ્ય અને પ્રવિણતા માંગી લે એવી ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં એમ.એસ. યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાંથી કોમર્શિયલ ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન અને પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન્સમાં માસ્ટર્સ કર્યું, જેમાં તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા છે. વ્યવસાયે ડિઝાઈનર રીંટુજી પુત્રના જન્મ પછી ફુલટાઇમ મધર બની ગયા. પરંતું સતત કશુંક કરતા રહેવાની ધગશ અને કલા સૂઝવાળા તેઓ પોતાની ગમતી પ્રવૃત્તિથી દુર, નિષ્ક્રિય ક્યાં સુધી રહી શકે! એટ્લે તેમણે એ સમયે અંત:સ્ફુરણા અને હ્રદયનાં અવાજને અનુસરવાનું નક્કી કર્યું. ડિઝાઇનિંગ અને બેકિંગ, જૂનુન અને જુસ્સાની કક્ષાના તેમના આ બે શોખનું સંયોજન કરી, આ યુનિક કોમ્બિનેશન વડે તેમણે લોકોની કલ્પનાને વાસ્તવિકતામાં સાકાર કરે તેવા, કેક અને ચોકલેટના યુનિક,આર્ટિસ્ટીક, ડિઝાઇનર, જંબો સાઈઝડ, એડીબલ(ખાદ્ય) માસ્ટરપીસ બનાવવાનું શરૂ કર્યું. જેમાં તેઓ ખૂબ જ સફળ રહ્યા.

આ ઉપરાંત તેમના વ્યક્તિત્વના અનેક આયામો છે તેઓ જિજ્ઞાસુ પ્રવાસ શોખીન, એડવેન્ચર સ્પોર્ટ્સના રસિયા, ભરતનાટ્યમ ડાન્સર, ખૂબ સારા ચિત્રકાર, પત્ની, માતા… અને શું શું…! જીવનરસથી ભરપૂર અને ભીતરે માનવતાથી ભર્યા રિંટુબેન આ બધી ઓળખો ઉપરાંત બહુ મોટી ઓળખ ધરાવે છે એ તે છે કે તેઓ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી, દયાળુ, માયાળુ, ખૂબ જ સારા, સંવેદનશીલ સાધુ સ્વભાવા વ્યકિત છે. તેમના આ માનવિય અભિગમ અને તેમની સદ્વૃત્તિ એ જ તેમને તદ્દન અનેરું કાર્ય કરવા અંગે પ્રેર્યા જેના થકી તેમને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફલકે વિશિષ્ટ ઓળખ મળી છે, અનેક એવોર્ડ્સ મળ્યા છે. એ પ્રવૃત્તિ એટલે, ગણપતિ સ્થાપનના ઉત્સવમાં સ્થાપન કરવા હેતુ ગણપતિની મૂર્તિઓ બને છે તે ચોકલેટમાંથી બનાવવાનો તેમણે તદન નવોને નિરાળો ચીલો પાડ્યો છે એ. અર્થાત્ ચોકલેટ વડે અથવા તો ચોકલેટના ગણપતીની મૂર્તિનું સર્જન કરવાના તેઓ પ્રણેતા છે. શરૂઆતમાં ચોકલેટનાં ગણપતિ અને ત્યારબાદ જુદા જુદા છ પ્રકારનાં, એટલે કે જેને દૂધમાં ઓગાળતાં, વિવિધ છ પ્રકારનાં વ્યંજનો બને એવાં ગણપતિ તેઓ બનાવે છે. જેમ કે, ખીર ગણપતિ, બાળકો માટેનાં ફાઈવસ્ટાર બારમાંથી પાંચ મિનિટમાં બનતા ગણપતિ, હલ્દીમિલ્ક ગણપતિ, અને આ વર્ષે તદ્દન નવી આવૃત્તિ, પંચામૃત ગણપતિ અને રોઝમિલ્ક ગણપતિ.

ચોકલેટમાંથી ગણપતિ બનાવવાનો વિચાર આપને કેવી રીતે આવ્યો, એ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, હું જુહુ બીચ પર નિયમિત મોર્નિંગ વોકમાં જઉં ત્યારે ગણેશ વિસર્જન પછી આસપાસ વિખરાયેલી, સમગ્ર બીચ પર પથરાયેલી ટુટીફૂટી, બેહાલ, ગણેશ મૂર્તિઓ અને પ્રદૂષિત, દૂષિત, ગંદા દરિયાકિનારા જોઉં. આ દૃશ્ય મારા માટે અસહ્ય અને હૃદયસ્પર્શી હતું. પ્રખર ગણેશભક્ત અને પર્યાવરણ પ્રત્યે સભાન વ્યક્તિ હોવાથી હું આ બધું જોઈ શકતી ન હતી. એટલે મેં આ વિશે કંઈક કરવાનું નક્કી કર્યું. અને 2011થી ચોકલેટ ગણેશ બનાવવાનું શરૂ કર્યું. જેનું વિસર્જન દૂધમાં ઓગાળીને કરવામાં આવે છે અને આ દૂધ વંચિત-ગરીબ બાળકોમાં વહેંચી દેવામાં આવે છે.
હું તેમને માત્ર ઇકો ફ્રેન્ડલી જ નહીં પરંતુ હ્યુમિનીટી ફ્રેન્ડલી ગણેશ કહું છું કારણ કે તેઓ આપણા પર્યાવરણને કોઇપણ રીતે પ્રદૂષિત કરતા નથી. ઉપરાંત વંચિત બાળકોને તૃપ્ત કરે છે. દર વર્ષે દૂધનો પ્રસાદ સેંકડો વંચિત બાળકોને આનંદ આપે છે. આ રીતે બાપ્પાની દિવ્ય ચેતના, એ ઈશ્વરીય અંશ તેમની ભીતર ઉતરે છે.

2011થી આજ સુધીમાં તેમણે સેંકડો ચોકલેટ મૂર્તિઓ બનાવી છે અને હજારો લોકોને તે બનાવતાં શીખવ્યું છે. તેમજ તેમની પ્રેરણાથી આજે સેંકડો ઘરોમાં ચોકલેટ ગણપતિની સ્થપના કરવામાં આવે છે જેને વિસર્જન ઉપર કહ્યું તેમ દૂધમાં ઓગાળી એ દૂધ સેંકડો બાળકોને વહેંચવામાં આવે છે. ચોકલેટમાંથી ગણેશ બનાવવાની અનોખી કળા અને અનોખા અભિયાનમાં નવો આયામ ઉમેરી તેમણે 2018માં ડ્રાયફ્રુટ-મિલ્ક પાવડર-ખાંડેલા ચોખા- ખાંડ-કેસર વગેરેમાંથી ‘ખીર ગણેશ’ બનાવ્યા. જેનું વિસર્જન પણ દૂધમાં થાય છે અને તે ‘અમૃત’ તરીકે પ્રાચીન કાળથી આપણા મંદિરોમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે એવા સ્વાદની સ્વાદીષ્ટ ખીરનાં પ્રસાદમાં પરિણમે છે

ગયાં વર્ષે કોરોનાને અનુલક્ષીને તેમણે રોગપ્રતિકારક શક્તિ વધારનાર પદાર્થોથી ભરપૂર એવા ‘હલ્દી દૂધ ગણપતિ’ બનાવવાનું નક્કી કર્યું છે. આ પાછળની તેમની ભાવના ગણપતિ બાપાની અમીનજર સાથે સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિના આશીર્વાદ મળે અને લોકોમાં ઇમ્યુનિટી માટેની સજાગતાનો સંદેશ દેવાની છે. હળદર, મિલ્ક પાવડર, મિસરી, તજ, એલચી, મરીના દાણા, લવિંગ, સૂંઠ પાવડર, ગુલાબની પાંખડીઓ, કેસર વગેરે જેવા રોગપ્રતિકારક શક્તિ વધારનાર મસાલાથી બનેલા, ગણપતી બાપ્પાનું જ્યારે દૂધ અથવા પાણીમાં વિસર્જન થાય છે ત્યારે તે દિવ્ય, સ્વાદિષ્ટ અને સ્વસ્થ હળદર દૂધમાં ફેરવાય છે. હલ્દી ગણપતિ આપણા શાસ્ત્રોમાં હરિદ્રા ગણપતિ તરીકે ઓળખાય છે. આ વર્ષે તેઓ બે નવી આવૃત્તિ, પંચામૃત ગણપતિ અને રોઝમિલ્ક ગણપતિ બનાવવા જઇ રહ્યા છે. તમિલનાડુના પ્રખ્યાત પલાની મંદિરમાં બનાવવામાં આવતાં પંચામૃતથી પ્રેરિત થઈ આ વખતે કેળા, ખાંડસરી, ખજૂર, મધ, કિસમિસ (કિસમિસ), ઘી, એલચી, ખાદ્ય કપૂર વગેરે વડે પંચામૃત ગણપતિ બનાવ્યા છે. અને ગુલાબની પાંખડીઓ, ગુલાબજળ, ખાંડ, દૂધ પાવડર, ગુલાબનું શરબત, તુલસીના બીજ વગેરે વડે રોઝમિલ્ક ગણપતિ બનાવ્યા છે.

રીંટુબેન ઓનલાઈન/ઓફલાઈન વર્કશોપ ક્ધડક્ટ કરે છે અને આજ સુધીમાં પિસ્તાલીસ દેશોના હજારો લોકોને તેઓ ચોકલેટ, ખીર તેમજ ઉપર જણાવ્યું તેવા વિવિધ પ્રકારના ગણપતિ બનાવવાનું શીખવી ચૂક્યાં છે. ગણપતિ બાપાની મુર્તિ તેઓ પંદર જૂદી જૂદી ડિઝાઈનસ અને સાઈઝમાં બનાવે છે. વિવિધ રંગછટાઓ અને કલાત્મક સૂઝથી બનેલી તેમની મૂર્તિઓ આર્ટિસ્ટિક માસ્ટરપીસ જેવી સુંદર સાત્વિક અને દિવ્યતાની અનુભૂતિ કરાવનારી હોય છે.

ફૂડ આર્મી ફાઉન્ડર
ચોકલેટ ગણેશ ઉપરાંત તેમની સેવાકીય પ્રવૃત્તિની વાત કરીએ તો એવો તેઓએ 2014માં ‘ફૂડ આર્મી’ નામના સેવાકીય સંગઠનની સ્થાપના કરી છે. આ જૂથ જુદા જુદા રાજ્યોમાં કુદરતી આફતો કે હોનારતો વખતે લોકોને રાંધેલો ખોરાક મુખ્યત્વે, થેપલા તેમજ અનાજ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. તેઓએ નેપાળ, કાશ્મીર, મહારાષ્ટ્ર, કેરાલા,મુંબઈ વગેરે સ્થાનો પર કુદરતી આફતોના સમયે નોંધપાત્ર મદદ કરી છે. આ ઉપરાંત પીડિતોને પ્રાથમિક સારવાર કીટ, રાશન, દવાઓ, કપડાં વગેરે પણ પહોચાડી છે. આ ઉપરાંત મદદની અન્ય પ્રવૃત્તિઓ પણ નર્યા સેવાભાવ રાખી લેશમાત્ર આર્થિક વળતર વગર કરે છે. આ વર્ષે આસામનાં પૂરપીડિતો માટે પ્રોજેકટ હાથ કર્યો. રીંટુબેન કહે છે કે, દેશ માટે સરહદ પર લડવા તો જઈ નથી શકવાના તો ઘરે બેસી ને દેશ માટે કંઈ તો કરીએ, આપણા દેશવાસીઓને એમના મુશ્કેલ સમયમાં આપણાથી થતી મદદ. અમારા માટે તો આ જ દેશપ્રેમ છે,

પ્લાસ્ટિક અપ સાઇકલિંગ પ્રોજેકટ
રીંટુબેને પર્યાવરણને પ્લાસ્ટિકના જોખમો તેમજ તેના નુકશાનોથી બચાવવા માટે પહેલી જાન્યુઆરી 2021ના રોજ પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે. જ્યાં પ્લાસ્ટિક આવ્યા બાદ તેને સાફ કરી સ્વચ્છ કરવામાં આવે છે અને જરૂરિયાત વાળી બહેનોને રોજગારી પણ મળી રહે એટલે તેમને તેમાંથી ચટાઈ તેમજ ગાદલાં બનાવવાનું કામ તેમને સોપવામાં આવે છે. ગાદલાના રૂપમાં અપ-સાઇકલિંગ કર્યા બાદ તેને જરૂયિાતમંદોને વહેંચી દેવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યેના પ્રેમે જ એમને નેચરોપથી શીખવાની પ્રેરણા આપી અને હમણાં જ સાડા ત્રણ વર્ષનો ગઉઉઢના કોર્સમાં બાણું ટકા સાથે ઉતીર્ણ થયાં છે. મારુ ધ્યેય એ છે કે,વઅલગ અલગ ખાદ્ય ગણપતિ બનાવવાનું, નાના બાળકો ને એક દિવસ માટે તો એક દિવસ માટે પણ અગલ અલગ જાતના દૂધનો પ્રસાદ મળે. એક દિવસ માટે એ લોકોને આનંદ મળે. બાળકો ખુશ થાય અને પર્યાવરણની જાળવણી થાય. વિચારો, જ્યારે હજારો લોકો આ રીતે બાળકોને દૂધ આપે અને આ રીત બધા જ તહેવારોમાં અપનાવવામા આવે તો પરિસ્થિતિમાં કેટલો ફર્ક પડી જાય! લોકોમાં અન્ય પ્રત્યે દયાની ભાવના જાગૃત થાય. છેવટે તો , ખરેખરો તહેવાર અને સાચી ઉજવણી એ જ છે કે જ્યારે આપણા દેશનો એકપણ નાગરિકને ભૂખ્યા ન સૂવું પડે!

કોમર્શિયલ ડિઝાઇનરથી શરૂ થઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચોકલેટ ગણેશમેકર સુધી, અને વચ્ચે વચ્ચે ફુડ આર્મી’ અને પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્રોજેક્ટ’ જેવા સકારાત્મક સુખદ ઉમેરણ વાળી તેમની યાત્રા કેવી રહી એ વિશે પૂછતાં તેઓ કહે છે કે, લગ્ન થયા ત્યારે ચા પણ બનાવતા ન આવડતી અને આજે આંતરરાષ્ટ્રીય ચોકલેટ ગણેશમેકર સુધીની મારી યાત્રા ખૂબ જ રસપ્રદ, રોમાંચક ઉલ્હાસપૂર્ણ રહી છે, સતત આનંદ અને બમણા ઉત્સાહથી કામ કરતી રહી છું. તેમની આ યાત્રા દરમિયાન આવેલી મુશ્કેલીઓ વિષે પૂછતાં તેઓ કહે છે કે માર્ગમાં આવેલી અડચણને તેઓ મુશ્કેલી નહીં પણ ઉપર ચડવાનું વધુ એક પગથિયું ગણીને હંમેશાં આગળ વધતા રહીને આજની સ્ત્રીઓને સંદેશ આપે છે કે નિરાશ થઈ કશું પડતું ન મૂકી દેશો. તમારી પાત્રતા કરતાં ઓછું સ્વીકારીને જાત સાથે સમાધાન ન કરો. યાદ રાખો, પરિવર્તન તમારાથી શરૂ થાય છે. તમે દુનિયામાં જે પરિવર્તન જોવા માંગો છો તે બનો! આ તેમનું આદર્શ વાક્ય છે.
ઉપરોક્ત તમામ બાબતોમાંથી પસાર થઈએ ત્યારે બે સત્યો સામે આવે છે. પહેલી, રીંટુબેનની તમામ પ્રવૃત્તિમાં ભારોભાર માનવતા છલકાય છે. માત્ર અને માત્ર પ્રકૃતિ પ્રત્યે સજાગતા, સેવા અને કરુંણાનો ભાવ એમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવે એવા નાવીન્યકરણના પ્રણેતા બનવા સુધી દોરી ગયો એ એમની માનવતાનો પડઘો પણ, ભગવદ્દ કૃપા પણ! સ્ત્રી જ્યારે સમગ્ર જગત વિશે કરુણા દાખવે એમાં સામાજિક કે નૈતિક જવાબદારી ઉપરાંત માતૃત્વના કૃણાભાવ ભળે છે, એ બધાની મા થઈને વિશ્વની ચિંતા સેવે છે. જેના થકી જગતને ફક્ત મદદ જ નહીં પણ વાત્સલ્યસભર હૂંફ મળે છે. જે રીંટુબેન અને એમને અનુસરીને અનેક સ્ત્રી-પુરુષો એમની સાથે જોડાયા છે તે સૌ પુરી પાડી રહયા છે. સુખી સંપન્ન ઘરની મહિલાઓ માટે રીંટુબેન રોલમોડેલ સમાન છે કે, કિટ્ટીપાર્ટીઓ, લાલી લિપસ્ટિક કે નેઇલપોલિશની બહાર પણ એક બહુ મોટી દુનિયા છે જેને તમારી ખૂબ જરુર છે. ઈશ્વરે તમને સાધન સંપન્ન બનાવીને ઘર ચલાવવાની જવાબદારીની ચિંતામાંથી મુક્ત રાખ્યા છે તો એ સમય વેડફી ન નાખતાં ઈશ્વરના અન્ય દુ:ખી સંતાનો માટે વાપરવો જોઈએ. વળી, બાળકના જન્મ પછી કંઈ જ નથી કરી શકાતું, ઘર પકડીને બેસવું પડે છે એવી ફરિયાદો હમેશા મહિલાઓને રહેતી હોય છે ત્યારે, મહિલા ધારે તો શું શુ કરી શકે એ રીંટુબેને દેખાડ્યું છે.

બીજું,
આપણે ત્યાં અરસાથી ગણપતિ અથવા તહેવારો અનુસાર અન્ય દેવી દેવતાની મૂર્તિઓ બને છે જેની કિંમત હજારો રુપિયામાં હોય છે અને એના નિયત મુદતના પૂજન બાદ ગણતરીના દિવસોમાં જ એને નદી તળાવ કે દરિયામાં વિસર્જિત કરી દેવાય છે!જેના થકી દરિયા કે નદી તળાવના પાણીને પ્રદુષિત થતા અટકાવવા આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવા સુધી તો થોડા ઘણા અંશે પહોંચ્યા પણ તેમ છતાં એ ખૂબ જ ઓછા અંશે અનુસરાય છે. આ પરિસ્થિતિમાં પર્યાવરણ પણ અને પરંપરા પણ જળવાઇ રહે ઉપરાંત જંગી નાણાકીય વ્યય ન થતાં, એ જ નાણાં કોઈની ભૂખ ભાંગવા વપરાય એનાથી વધુ સારો, વધુ ભગવદ્દ વિકલ્પ શુ હોય શકે! બસ, આવો જ વિકલ્પ સૌ પ્રથમ વાર રીંટુબેન લઈને આવ્યા છે ત્યારે ફક્ત ગણપતિ જ શુ કામ, દરેક તહેવારોમાં જ્યાં જ્યાં મૂર્તિ વિસર્જિત કરવાની હોય એ સઘળાને ચોકલેટ અને એ સિવાયના શક્ય ખાદ્ય પદાર્થો વડે કેમ ન બનાવી શકાય!(સૌને આશા છે કે રીંટુબેન આ ક્ષેત્રે હજુ નવા નવા વિકલ્પો રજૂ કરશે જ) વિવિધ ભગવાનોની જાહેર સ્થાપનાના મોટા મોટા આયોજનો કરનાર સંગઠનો ખૂબ જ જંગી સાઈઝની, લાખો રૂપિયાની મૂર્તિઓની સ્થાપના કરતા હોય છે. એ સઘળાં જો આવા વિકલ્પને અનુસરે તો તહેવારોનો આનંદ, એને પામનાર એવા વંચીત બાળકોમાં વધી જાય.

You Might Also Like

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

આ તો સ્વાભાવિક છે

હાસ્ય: જીવનનું ફૂલ

બોલ ગોરી બોલ તેરા કૌન પિયા

ચાણક્યની સાચી સમજ

TAGGED: food, ganpati
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવનના અંતિમ સમયમાં માણસ ભજીયા કે તેના જેવી ચટપટી ખાવાની વસ્તુઓ કેમ માંગે છે?
Next Article 2024માં દિલ્હીની ગાદીને લઈને તેમની કોઈ ઈચ્છા નથી: નીતિશ કુમારે વડાપ્રધાન પદ માટે કરી સ્પષ્ટતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ
ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી
5546 મિલકતધારકોએ 11.66 કરોડના વેરાની ભરપાઈ કરી આપી
રાજકોટમાં સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન
ટી.એન. રાવ કોલેજમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી: ‘ચેરિટી કેન્ટીન’ દ્વારા ઝનાના હોસ્પિ.માં બેડશીટનું દાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

આ તો સ્વાભાવિક છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

હાસ્ય: જીવનનું ફૂલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?