ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર સાથે દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યો ઓનલાઇન પૂજન દર્શન અને આરતીનો લાભ લેવા જોડાયા હતા. 5 રાજ્યોના 51 મંદિરોમાં 1001 થી વધુ ભાવિકોએ પૂજન કર્યું હતું અને અન્ય હજારોની માત્રામાં ભક્તો આ અદભુત કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.ભારતમાં મહત્વપૂર્ણ ધર્મસ્થાન છે ઐયપ્પા મંદિર સાથે જેવી આસ્થા જોડાયેલી છે.
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે આવે છે. ત્યારે વિસ્તારમાં કચરાના ઢગલાઓ મોટી સમસ્યા હતી જે સમસ્યાનું નિરાકરણ લાવવા ઈંઙજ અધિકારી પી.વીજયન દ્વારા પુણ્યમ પુંગાવનમ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેથી તીર્થમાં સ્વચ્છતા સ્થાપવામાં સફળતા મળી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ પણ મન કી બાત કાર્યક્રમમાં આ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. ત્યારે પુણ્યમ પુંગાવનમ સ્વયંસેવકો અને સોમનાથ મંદિર ટ્રસ્ટ એક ઐતિહાસિક કાર્ય કરવા માટે સાથે આવ્યા હતા. દક્ષિણના કેરળ,તામિલનાડુ,કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણા પાડોશી રાજ્યોના 51 થી વધુ પ્રખ્યાત શિવ મંદિરોને એક સાથે ગુજરાતના સોમનાથ મંદિર સાથે જોડાયા હતા. આ 51 સ્થાનોથી 1001 ભક્તો ઓનલાઇન માધ્યમથી સોમનાથ મંદિરની વર્ચ્યુઅલ શિવપૂજા અને આરતીમાં જોડાયા હતા.સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લેહરી દ્વારા દક્ષિણનાર 51 મંદિરોના સોમનાથ સાથે જોડાવાના આ ઉત્તમ આયોજન ને બિરદાવામાં આવ્યું હતું. સાથેજ તેઓએ સોમનાથ મંદિરના પુન:નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા.
દક્ષિણ ભારતના 5 પ્રમુખ રાજ્યોના યજમાન વર્ચ્યુઅલી સોમનાથ મહાદેવ સાથે જોડાયા
