પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત સમગ્ર દેશમાં જુદા જુદા સામાજિક કાર્યો હાથ ધરાય છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પણ સેવા પખવાડિયા અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતા અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
- Advertisement -
જેમાં આ સામાજિક કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા તથા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળાના મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરી બાદમાં શહેરની મુખ્ય બજારમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું. આ સાથે નગરપાલિકા સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનો દ્વારા બજારમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાય તેવા હેતુથી રેલી યોજી હતી. ત્યારે આ કાર્યક્રમ યોજી શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા તમામને સાથે મળી પ્રયત્નો કરવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા અપીલ કરાઈ હતી.