વેચી દીધેલ બાળકને બાલાશ્રમમાં આશરો આપવા કોર્ટમાં હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
રાજકોટ જીલ્લાના જસદણ તાલુકામાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી જન્મેલા બાળકને વેચી દીધાની જધન્ય ઘટનામાં ડોક્ટર સહીત ત્રણ આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતા બાળકને સ્વીકારવાનો ફરિયાદીએ ઇનકાર કરતા કોર્ટ મારફ્ત શિશુને બાલાશ્રમમાં આશરો આપવામાં આવ્યો છે બીજી તરફ ડોક્ટરએ ડીલીવરીની 70 હજાર ફી લઇ બાળક કોને વેચ્યું તે અંગે બે શખસોને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.
જસદણ પંથકના એક ગામડામાં રહેતી 13 વર્ષીય સગીરાને પડોશમાં જ રહેતા કૌટુંબિક સગીર ભાઈ અને કાકાએ અગાસી ઉપરથી રાત્રીના સમયે આવી બળજબરી કરી ભાઈને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આ પછી તેણીને ગર્ભ રહી જતા અને પ્રસુતિની પીડા ઉપડતા ગત 20 જાન્યુઆરીએ બીજા કૌટુંબિક કાકા મારફ્તે કમળાપુરની શ્રીજી ક્લિનિકમાં લઇ જવામાં આવી હતી ત્યાં ડોક્ટર ઘનશ્યામ રાદડિયાએ ડીલીવરી કરી આપવાના અને બાળકનો પણ બારોબાર નિકાલ કરી આપવાનું કહી 70 હજાર આપ્યા હતા ડોક્ટરએ બાળકને જન્મ અપાવ્યા બાદ ડોકટરે જ બાળક વેચી નાખ્યું હોય અંતે ફરિયાદ નોંધાઈ હતી પીઆઈ ટી બી જાનીએ તપાસ કરી આ ગુનામાં ડોક્ટર સહીત ત્રણની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ડોક્ટરએ જે બે વ્યક્તિને બાળક વેચ્યું તેની પુછતાછ હાથ ધરાઈ છે જયારે બીજી તરફ બાળકની કસ્ટડી માટે કોર્ટમાં મામલો પહોચતા ફરિયાદી પરિવારે બાળક ન સ્વીકારવા અંગે એફિડેવિટ રજુ કરતા કોર્ટએ બાળકને કાઠીયાવાડ બાલાશ્રમમાં આશરો આપવાનો હુકમ કરતા બાળકને ત્યાં સોપવામાં આવ્યું છે.