શહેરનાં માર્ગો પર આજે સાંજનાં ભવ્ય શોભાયાત્રા નિકળશે
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ શહેરમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીનાં ભાગરૂપે સોમવારનાં સાંજનાં શહેરનાં માર્ગો પર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. બાઇક રેલી સંપન્ન થયા બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પરશુરામ જયંતિને લઇ શહેરનાં માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળશે. બાઇક રેલીમાં સમસ્ત યુવા બ્રહ્મ સંગઠનનાં જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર,વિશાલભાઇ જોષી, ભીખાભાઇ જોષી, પુનિત શર્મા, અશોકભાઇ ભટ્ટ સહિતનાં આગેવાનો જોડાયા હતાં. તેમજ બાઇક રેલીનું જૂનાગઢમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ભગવાન પરશુરામનું પુુજન અને અર્ચન કરવામાં આવ્યું
દેવોનાં મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોઘ પરશુને ધારણ કરનાર તેમજ સપ્તર્ષિઓ પૈકીના એક જમદગ્નિ ઋષિ અને રેણુકાદેવીના મહાપરાક્રમી પંચમપુત્ર અને વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ એ આપણા સૌની ભીતર રહેલા દુર્ગુણોનો નાશ કરે તેવી પ્રાર્થના સાથે પરશુરામ જયંતીના શુભદિને ગિરનાર પર્વત પર આવેલ સુપ્રસિદ્ધ શ્રી જટાશંકર મહાદેવની જગ્યામાં આવેલા ભગવાન પરશુરામજીનું શાસ્ત્રોકત રીતે પુજન અર્ચન કરતા જગ્યાના મહંત પૂર્ણાનંદબાપુ, યોગીભાઈ પઢીયાર, દિપુભાઈ હસુભાઈ વ્યાસ સહિતનાએ કરી હતી અને સહુના શુભમંગલ માટે પરશુરામ ભગવાનને પ્રાર્થના કરી હતી.