રાજ્ય સરકારે આ વખતે ગણેશોત્સવને લઈને શ્રદ્ધાળુંઓનો મોટી ભેટ આપી છે. સરકારે આ વખતે ગણેશજીની મૂર્તિની ઉંચાઈ પરના નિયંત્રણો દુર કર્યા છે.
ગણેશોત્સવને લઇ રાજ્ય સરકાર દ્વારા શ્રદ્વાળુઓને મોટી ભેટ
- Advertisement -
રાજ્ય સરકારે આ વખતે ગણેશોત્સવને લઈને લોકોની શ્રદ્વાને ધ્યાને રાખીને મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા આ વખતે ગણેશજીની મૂર્તિ પર રાખવામાં આવેલા ઉંચાઈના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. તેમજ આ વખતે સાર્વજનિક સ્થાનો પર પણ ગણેશજીની સ્થાપના કરી શકાશે.
લોકોની શ્રદ્વાને ધ્યાને રાખી લીધો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોવિડની સ્થિતિને લઇ રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. જો કે, હાલ કોરોના પ્રકોપ ઓછો થતાં રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. આ સાથે મંડળોએ મૂર્તિ બનાવવા અને વિસર્જન માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પાલન કરવાનું રહેશે.