આયોજનોમાં કાપ કરવા અને છાપકામ માટે આયાતિત કાગળનો ઉપયોગ બંધ કરવાની પણ સલાહ
સરકારે શુક્રવારે તમામ મંત્રાલયો, વિવિધ વિભાગોને ગેરવ્યાજબી ખર્ચાઓ ઓછા કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે મંત્રાલયો, વિભાગોને પરામર્શકોની નિયુક્તિની સમિક્ષા કરવા, આયોજનોમાં કાંપ કરવા અને છાપકામ માટે આયાતિત કાગળનો ઉપયોગ બંધ કરવાની સલાહ દેવામાં આવી છે.
વિભાગો તરફથી જાહેર કરવામાં આવેલા એક કાર્યાલયની જાહેરાતમાં જણાવ્યું છે કે વર્તમાન રાજકોષિય સ્થિતિ તથા સરકારના સંસાધનો ઉપર દબાણને જોતા ગેર પ્રાથમિકતા વાળા ખર્ચા ઓછા કરવા અને તર્કસંગત બનાવવાની જરૂરત છે. જો કે, પ્રાથમિકતા વાળા ખર્ચાને લઈને સંશાધન સુનિશ્ચિત કરી શકાય, પ્રશાસનિક ખર્ચા અંગે વ્યય વિભાગે સૂચન આપ્યું છે કે, કોઈ પણ પ્રકારનું છાંપકામ કે પુસ્તકો, પ્રકાશનો તથા દસ્તાવેજોના પ્રકાશન માટે આયાતિત કાગળોનો ઉપયોગ નહી કરવામાં આવે. માત્ર વિદેશમાં સ્થિતિ ભારતીય મિશનોને તેમાં રાહત આપવામાં આવી છે.
- Advertisement -
મંત્રાલયે કહ્યું કે, સ્થાપના દિવસ ઉપર સમારોહો વિગેરે ઉપર ખર્ચાને હતોત્સાહિત કરવામાં આવવો જોઈએ. જો સમારોહનું આયોજન જરૂરી હોય તો ખર્ચ સીમિત કરવું જોઈએ. કોઈ પણ સ્થિતિમાં આવા પ્રકારના સમારોહો માટે કે યાત્રા, બેગ કે સ્મૃતિચિન્હમાંથી બચાવવું જોઈએ. નાણાકીય મંત્રાલય હેઠળ વ્યય વિભાગે તમામ મંત્રાલયો, વિભાગોના વ્યક્તિગત પરામર્શકોની સામાન્ય નાણાકીય નિયમો હેઠળ આપવામાં આવેલી નિયુક્તિઓની સમિક્ષા કરવા માટે અને તેના પરામર્શકોની સંખ્યા જરૂરતના હિસાબે ન્યુનતમ કરવા માટે કહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, પરામર્શકોની ફી નક્કી કરતા સમયે આ વાતની સાવધાની રાખવી જોઈએ કે તેના દ્વારા કરવામાં આવતા કાર્યની ગુણવતા અને માત્રા પ્રભાવિત ન થાય.