મારી જિંદગીની આ કેવી રાહ છે ? જેના દરેક માઈલસ્ટોન હાદસાઓથી જ સર્જાયા છે. તુમ થે, તો ઘર નહીં થા. આજ ઘર હૈ તો તુમ નહીં હો
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
અમૃતા પ્રિતમજીએ જીતી ઈમરોઝને 196રમાં આ પત્ર લખ્યો ત્યારે તેઓ ઈમરોઝથી જરા નારાજ હતા. અલબત્ત, આ નારાજગી ત્રણેક વરસ ચાલી હતી. નવેમ્બર 1960થી ડિસેમ્બર 1963 સુધી. અમૃતાજીના નારાજ હોવાનું કારણ એ હતું કે આ સમયગાળામાં ઈમરોઝ અલગ રહેતા હતા. બન્ને મળતાં દરરોજ પણ અલગ થવાની ક્ષ્ાણો અમૃતાજી માટે ભારેખમ બની જતી. ઉમા ત્રિલોકજીએ સંપાદિત કરેલાં અમૃતા-ઈમરોઝના પત્રોમાંથી પસાર થઈએ ત્યારે આપણને એ પણ જાણવા મળે છે કે ઈમરોઝ કરતાં પોતે ઊંમરમાં મોટા હોવાનો રંજ પણ અમૃતા પ્રિતમને હતો. કારણો બે. એક, ઈમરોઝ તેમને મોડાં મળ્યાં. બીજું કારણ, ઈમરોઝનો સાથ (મોટી ઉંમરને લીધે) ઓછા વરસોની સોગાત હોવાનું અમૃતાજી માનતા. કેટલાંય પત્રોમાં પોતાની વાત લખીને અમૃતાજી પૂછી લેતાં કે હું એંસી વરસની બુઢૃી સ્ત્રી જેવી વાત કરતી હોઊં એવું લાગે છે ને તને જીતી.
અમૃતા પ્રિતમ ઈમરોઝ માટે મોટાભાગે જીતી અને ઈમવા નું સંબોધન કરતાં પણ ઈમરોઝ તેને આશી, જોરબી, મેરી જાન, મેરી પ્યાર, મેરી કિસ્મત, મેરી મલ્લિકા, મેરી બરક્ત અને માજા તરીકે સંબોધતા. જોકે સ્પેનિશ નોવેલ ધ નેકેડ માજા વાંચ્યા પછી તેઓએ અમૃતાજીને માજા કહેવાનું શરૂ ર્ક્યું. પછીથી તેમને માજા (મારું) નો મરાઠી અર્થ ખબર પડી એટલે માજા સંબોધન વધુ ગમવા માંડેલું. જોકે રસોઈમાં કામ કરતાં અમૃતાજીને તેઓ હંમેશ બરક્તેં કહીને જ બોલાવતાં : તુમ મેરી કિસ્મત બની રહેના, ફિર ક્સિી બદકિસ્મતી કી મુઝે પરવાહ નહીં
- Advertisement -
ઈમરોઝ અમૃતા પ્રિતમથી સાત વરસ નાના હતા. અમૃતા પતિ અને પ્રેમી છોડીને બે સંતાનો સાથે એકલા રહેતા હતા. 19પ6માં પ્રથમ વખત મળેલાં ઈમરોઝ સાથેની આત્મીયતા 19પ9 સુધીમાં ઘેઘુર બની ગઈ હતી. એ જ અરસામાં ઈમરોઝ એક પત્રમાં લખે છે : એક મકાન, બહુ સુંદર જગ્યા પર લીધું છે. આવીને તેને ઘર બનાવી દો. આપણું અને આપણા સપનાંનું ઘર… જિંદગીમાં પહેલી વખત મેં ઘર (હોય એવું) ઈચ્છયું છે… મારા પર ભરોસો કરો. મારા લગાવ પર વિશ્ર્વાસ મૂકો… ઈમરોઝ ઈચ્છતાં કે અમૃતા તેમની પાસે આવી જાય, અમૃતા ઈચ્છતાં કે ઈમરોઝ તેમની પાસે આવી જાય. શક્ય છે કે આ જ ઝંખનાઓના કારણે 1960 થી 1963 વચ્ચે તેમની દરમિયાન મીઠી નારાજગી જન્મી હોઈ શકે પણ એ લાંબી ટકી નહીં. 1964થી ઈમરોઝ અમૃતાજીની સાથે રહેવા આવી ગયા હતા. ઈમરોઝ ચિત્રકાર હતા તેમ સરસ લખી પણ શક્તા (તેમના લખાણોના પુસ્તક પ્રગટ થયા છે ) એક પત્રમાં ઈમરોઝનું આ સ્ટેટમેન્ટ જૂઓ : ટૂ લવ સમબડી ઈઝ નોટ જસ્ટ એ સ્ટ્રોંગ ફિલિંગ઼ ઈટ ઈઝ એ ડિસિઝન, એ જજમેન્ટ. કોઈને ચાહ્યું એ માત્ર આવેશમય લાગણી નથી હોતી પણ (ખરેખર તો એ) એક નિર્ણય હોય છે
ઈમરોઝ માટે અમૃતા પ્રિતમ શું હતા, એ પત્રોમાંથી તો સતત છલકાઈ છે પણ કવિતામાં ઢાળીને એ વાતને ઈમરોઝ આ રીતે મૂકે છે : ના ક્સિી સે બાત કર કે બાત બની, ના ક્સિી કે સાથ ચલ કર કહીં પહૂંચે, ના ક્સિી કે સાથ સો કર જાગે… વહ મીલી, ઉસને મુઝે દેખા પતા નહીં ક્યા દેખા, મૈંને ઉસે દેખા પતા નહીં ક્યા દેખા… બોલે ભી નહીં પર બાત બન ગઈ, ચલે ભી નહીં ઔર પહુંચ ગએ, સોયેં ભી નહીં ઔર જાગ ગએ
આ જ પ્રેમ છે, જેમાં સરાબોર ડૂબવાની ઝંખના દરેકને હોય છે પણ ઈમરોઝ-અમૃતાજી જેવું સમર્પણ ન હોય તો એ સંઘર્ષમાં પરિવર્તિત થઈ જાય છે. એમાં સમજણ ન હોય તો એ સોફટ નથી રહેતું પણ બરછટ થઈને બટકી જાય છે. ઈમરોઝ-અમૃતાને મન ભરીને વાંચ્યા-મહેસુસ ર્ક્યા પછી સમજાઈ છે કે, કશુંય પામવું ન હોય ત્યારે ઘણુંબધું આપી શકાતું હોય છે અને આપતા રહીએ ત્યારે અનુભવાય છે કે કશુંય ખાલીખમ થતું હોતું નથી. ઈમરોઝ અને અમૃતા પ્રિતમજીના ભૂતકાળ, ઘટના, તૂટન અને કદાચ, સોચ-સમજ અલગ હતા પણ ઈમરોઝને તેનાથી મતલબ નહોતો. અમૃતાજી તો અનેક વખત પોતાના જૂના જખમ પત્રમાં ખોતરતાં. એક પત્રમાં તેઓ ઈમરોઝને લખે છે : તારા અને મારા નસીબમાં બહુ ફરક છે. તમે એ ખુશનસીબ છો (કે) જેને પ્રેમ કરો (તે) તમારા એક ઈશારા પર આખી દુનિયા ઓવારી દે… પણ હું એ બદનસીબ છું(કે) જેને મહૌબ્બત કરી, તેણે મારા માટે પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા.
- Advertisement -
દુ:ખોએ હવે મારા હૃદયની ઊંમર બહુ મોટી કરી નાખી છે : અમૃતા પ્રિતમ-ઈમરોઝના પત્રો માત્ર તેમના મનોજગત કે મનોઈચ્છા કે મનોતરંગોને જ વ્યક્ત નથી કરતાં પણ શાંતચિત્તે એ વાંચો તો તમને એ ઓરામાં તાણી જાય છે. જયાં મળે છે નિર્મળ સંવેદનોની શાંત ધારા, જેમાં ભીંજાવું ગમે કારણ કે પ્રદૂષિત સોચના આ વિશ્ર્વમાં આવી નિર્ભેળ લાગણીઓ જોવા-અનુભવવા મળતી નથી. અમૃતા-ઈમરોઝના ખતોં કા સફરનામા ખરેખર તો પ્રેમમંદિર પર બિલિપત્રના અભિષેક સમાન છે. અહીં પ્રેમ છે .પીડા છે. સૌહાર્દ છે. સચ્ચાઈ છે. આશંકા છે. આશા છે તો ક્યાંક દુનિયાદારી પણ છે. એક પત્રમાં ઈમરોઝ લખે છે : એક સમય હતો કે આપણે કોઈ સંબંધ બનાવતી વખતે કે કોઈ કામ કરતી વખતે કે કોઈ વ્યાપાર શરૂ કરતી વખતે કે કોઈ કામ કરતી વખતે કે કોઈ વ્યાપાર શરૂ કરતી વખતે કે કંઈપણ કરતી વખતે બિસ્મિલ્લાહ બોલતા હતા. પરંતુ હવે કોમ્પ્રોમાઈઝ શબ્દ સંભળાય છે. એ જાણવા છતાં કે કોમ્પ્રોમાઈઝ કમજોરી અને ડરમાંથી જન્મે છે…
એક મકાન, બહુ સુંદર જગ્યા પર લીધું છે, આવીને તેને ઘર બનાવી દો, આપણું અને આપણા સપનાંનું ઘર…
ઈમરોઝ-અમૃતાજીના સંબંધમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ હતા કે નહીં, એ આપણે જાણતાં નથી. જાણવામાં રસ પણ નથી કારણકે, એમાંથી ચળાઈને આવતી પ્રાર્થના કે સજદા જેવી સુરખી એ સાબિત કરે છે કે બિસ્મિલ્લાહથી આ સંબંધની નીંવ નંખાઈ હોવી જોઈએ. સાહિરે ભલે લખ્યું, પણ ઈમરોઝ-અમૃતના અફસાનાને ભૂલવું વાજબી લાગતુંનથી. હા, આ જ ગીતની પંક્તિઓ પર વિચારવા જેવું ખરું: ના મૈં તુમ્સે કોઈ ઉમ્મીદ રખું, દિલ નવાઝી કી, ના તુમ મેરી તરફ દેખો – ગલત અંદાઝ નજરોં સે.


