By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ શરૂ
    7 hours ago
    અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
    7 hours ago
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    6 hours ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    6 hours ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    7 hours ago
    1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત
    7 hours ago
    બાળકો દ્વારા આત્મહત્યા કે તેમને નુકસાન કરતાં શબ્દો સર્ચ કરતાં જ મેટા માતા-પિતાને એલર્ટ કરશે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    9 hours ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..
Author

પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..

Khaskhabar Editor
Last updated: 2025/09/06 at 4:40 PM
Khaskhabar Editor 6 months ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા

“દ્રાક્ષ ખાટી છે” વાળા ચતુર શિયાળની વાર્તા યાદ છે ? ગ્રીક ફિલસૂફ ઇસપને નામે ચડી ગયેલી મૂળ હિતોપદેશ કે પંચતંત્રની વાર્તા એમ હતી કે શિયાળને દ્રાક્ષના ઝૂમખાં દેખાય છે પણ અનેક પ્રયાસ છતાં તે એને મેળવી શકતું નથી. છેવટે ચતુર શિયાળ શું કરે છે તે આપણે સુપેરે જાણીએ છીએ. શિયાળ “દ્રાક્ષ ખાટી છે” એમ કહીને ચાલતી પકડે છે !!

- Advertisement -

આ વાર્તા ભલે બાળકોને ભણાવવામાં આવે પણ એમાં જે સંદેશ છે તેને સમજવામાં ભલભલા થાપ ખાઈ જાય છે અને સુખ હોવા છતાં એને ભોગવી શકતા નથી.

શિયાળનો પોતાના માઈન્ડ ઉપરનો ક્ધટ્રોલ ગજબ છે. કશુંક નથી મળ્યું તો એનો અપરાધભાવ કે એની વાસના સતત પાળીને મનને કલુષિત કરવા કરતા એક નાના બાળકની જેમ મનને “ફોસલાવી” દેવું વધુ સારો ઉપાય છે.

કેમકે જો મનને ફોસલાવશું કે મનાવિશું નહિ તો મન જ આપણો શત્રુ બની જશે. પૈસે ટકે સમૃદ્ધ એવા અનેક લોકો મનની અમર્યાદિત ઈચ્છાઓની પરિપૂર્તિ કરતા કરતા એવી અવસ્થામાં પહોંચી જાય છે કે જ્યા એમને જીવતર કરતા મૃત્યુ વહાલું લાગે છે અને તેઓ આત્મહત્યા કરે છે. આ પરિણામ છે મન ઉપર સંયમના અભાવનું.

- Advertisement -

હમણાં પર્વાધિરાજ પર્યુષણ નો સમય ચાલે છે. પર્યુષણ પર્વ શરીર અને મનની શુદ્ધિનું પર્વ છે.ક્ષમા, પ્રતિક્રમણ, ઉપવાસ અને ઉપદેશ શ્રવણ દ્વારા મન અને શરીર બેયના ઝેર દૂર થઈ જાય છે.

આજે “અંધ-વિકાસ-પ્રેમી” થયેલા આપણા દેશમાં કદાચ આ સંયમની વાતોને માનવા વાળા ઓછા જડે પણ જ્યા નાણાં ની છલોછલ છે, જ્યા સુખ સમૃદ્ધિનો પાર નથી એવા અમેરિકન અને યુરોપિયન દેશોમાં હવે સાચા સુખની વ્યાખ્યા બદલાઈ છે. ત્યાંના લોકો ભૌતિક સુખોની ઝાકમઝોળ ભોગવી ચુક્યા છે તેથી જાણે છે કે આ સુખોની ઈચ્છાઓનો કોઈ અંત નથી.. આદિનાથ ઋષભદેવ થી લઈને મહાવીર સ્વામી સુધી દીક્ષા /સન્યાસ લેનારાઓ રાજવીઓ હતા જેમણે સુખ સમૃદ્ધિ ભોગવીને સંયાસનું મહત્વ જાણી લીધેલું.

આજે પશ્ચિમી સંશોધકો ઈમોશનલ ક્ધટ્રોલ ઉપર ખૂબ રિસર્ચ કરે છે.(અને આપણે ત્યાં ધર્મને નામે દંભ અને દેખાડા વધતા ચાલ્યા છે) ન્યુઝીલેન્ડમાં 1972થી લાગલગાટ દસ વર્ષ સુધી એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમા એક હજાર બાળકોના જીવનનો અભ્યાસ કરવામાં આવ્યો. આ પ્રયોગનું નામ હતું : ડનેડીન સ્ટડી. આ પ્રયોગમાં જોવા મળ્યું કે જે બાળકો નાનપણથી પોતાના ઇમ્પલ્સ (તીવ્ર લાગણીઓ) ઉપર નિયંત્રણ કરી શકતા હતા તેઓ મોટા થઈને એક સફળ, સુખી જીવન નિર્માણ કરી શક્યા.

જ્યારે જે બાળકોનો સેલ્ફ ક્ધટ્રોલ ઓછો હતો એમને આગળ જતાં જીવનમાં અનેક મુશ્કેલીઓ પડી. આ બાળકો નિર્ધન, રોગી અને અમુક કેસિસમાં તો ક્રિમીનલ વૃત્તિ વાળા બન્યા.

નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ: આ બધા યોગમાર્ગી મતો છે

યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે

આ પ્રયોગે સાબિત કર્યું કે નાનપણથી જે મન ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે.
મન ઉપર નિયંત્રણ ભલે બહુ ચેલેંજીંગ કામ ગણાતું હોય પણ અશક્ય નથી.

વરસો પહેલાં નુસરત ફતેહ અલી ખાને એક કવાલી ગાઈ અને તે બહુ જ પ્રચલિત થઈ ગઈ. કવવાલી હતી : તુમ એક ગોરખધંધા હો… નાઝ ખ્યાલવી નામના શાયરની આ અદભૂત રચના મૂળ તો એ મતલબની હતી કે ઈશ્વર એક ગોરખધંધો છે. પણ આજે લોકોને દારૂ અને પ્રેમ આ બેય વસ્તુઓનો નશો એટલો ચડ્યો છે કે દરેક શાયરીમાં દારૂ અને પ્રેમ શોધતા ફરે છે. હકીકતે આ “ગોરખધંધા” વાળી રચના એક સૂફી રચના હતી અને એમાં ઇશ્વરના સહજ સ્વરૂપની વાત કરવામાં આવી હતી.

પણ સમય જતાં ગોરખધંધા શબ્દ નું અવમૂલ્યન થવા લાગ્યું. લોકો ગોરખધંધો એટલે કોઈ ગેરકાયદેસર કામ એવું માનવા લાગ્યા.

પણ હકીકત શું હતી ?
નાથ સંપ્રદાયના સાધુઓ સન્યાસીઓ હાથમાં બે ધાતુની રીંગ વાળું એક રમકડું લઈને ફરતા. આ રમકડું “ગોરખયંત્ર” કહેવાતું. કહેવાતું કે આની રચના નાથ સંપ્રદાયના પ્રવર્તક એવા ગુરુ મત્સ્યેન્દ્રનાથ ના શિષ્ય એવા ગુરુ ગોરક્ષનાથે કરેલી. આવું રમકડું આજની તારીખે રમકડાંની દુકાને મળી જાય ખરું.

ગોરખયંત્રમાં ધાતુની બે રિંગને એકબીજામાં ફસાવાયેલી રહેતી અને એ ધાતુની બે રિંગ્સ ને કાપ્યા વિના એકબીજાથી અલગ કરવાની ચેલેન્જ આપવામાં આવતી. લોકો મથી મથીને થાકી જાય પણ કોઈ વાતે આ રિંગ્સ એકબીજાથી અલગ થતી નહિ.

છેવટે થાકી હારીને લોકો પેલા સન્યાસીને ગોરક્ષયંત્ર પાછું આપી દેતા અને એને જ આ રિંગ્સ છૂટી પાડી દેવાનું કહેતા. સન્યાસી ચપટી વગાડતાં જ આ બેય રિંગ્સ ને એકબીજાથી અલગ કરી દેતા !! લોકોને આ જોઈને વિસ્મય થતું કે આટલું સરળ હોવા છતાં તેઓને પોતાને કેમ આટલું મથવું પડ્યું?!

ત્યારે સન્યાસી સમજાવતા કે મનને વશ કરવાનું કામ આટલું જ સરળ છે. પણ લોકો અકારણ પોતાની જાતને કષ્ટ આપીને, અનેક કર્મકાંડો , વિધિ વિધાન કરીને મનને વશ કરવા પ્રયાસ કરે છે.

આમ ગોરક્ષ્યંત્ર મનની ગતિ ને પામીને સહજ યોગ પ્રાપ્તિ સમજાવવા માટેનું એક મોડેલ હતું. કવિ નાઝ ખયાલવી એ એની ઉપરથી રચના કરી કે હે ઈશ્વર , તુમ તો એક ગોરખધંધા હો,…અર્થાત્ હે જગતના અધિપતિ તને પામવો એકદમ સહજ છે, .પેલા ગોરક્ષ યંત્રને સોલ્વ કરવા જેમ લોકો મથી મથીને થાકતા એમ હું પણ તને પામવા બહુ મથ્યો છું પણ મને જાણ છે કે તું તો સહજ સરળ સ્વભાવનો છે.

શાયર નાઝ એ ગીતમાં કહે છે કે “મે જીસ્કો કહ રહા હું અપની હસ્તી, અગર વો તું નહિ તો ઓર ક્યા હૈ”.. આ ગીત બહુ માણવા અને જાણવા જેવું છે..

નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ — આ બધા મત યોગમાર્ગી મતો છે. યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે. (નાથ સંપ્રદાય અને જૈન મતના ગાઢ સંબંધ અંગે ફરી કોઈવાર લંબાણથી વાત)

મન ઉપર નિયંત્રણ જ અંદર બેઠેલા ઈશ્વર નું દર્શન કરાવી શકે છે.. અને આ મન ઉપરનું નિયંત્રણ ભલે કઠિન ગણાતું હોય ,તે ગોરખયંત્રની જેમ સરળ છે.

પર્વાધિરાજ પર્યુષણ આ સહજ સાધનાનું પર્વ છે. ગુરુ ગોરખનાથના ગોરખયંત્રની બેય રિંગ્સ મન અને આત્મા (ગીતાજીમાં મનને આત્મન કહ્યું છે) છે. બેયને છૂટા પાડવાનું કામ એટલે ધ્યાન. ધ્યાન સરળ કામ છે. જેમ ચતુર શિયાળે ફટ દઈને “દ્રાક્ષ ખાટી” કહી દીધી એટલું જ સરળ કામ છે..

પર્યુષણ પર્વની હાર્દિક શુભકામનાઓ .

You Might Also Like

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

TAGGED: PARYUSHAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે
Next Article રહેમાનનો જાદુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ
સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર
અમરેલી: જખઈનો મોટો દરોડો, ભચાદર પાસે ઘઉંની આડમાં લઈ જવાતો રૂ.46.88 લાખનો દારૂ ઝડપાયો
1233 વાલીના સરવેમાં ખુલાસો: 80% વાલી દિવસભર સંતાનની પરીક્ષાના વિચારો કરે છે!
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના હસ્તે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?