By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    8 hours ago
    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.. ટ્રમ્પનું નિવેદન
    10 hours ago
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    1 day ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    1 day ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    6 hours ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    9 hours ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    10 hours ago
    દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ
    11 hours ago
    આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    2 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    2 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    2 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    3 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    9 hours ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    1 day ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    2 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    3 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    11 hours ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    4 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    4 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 week ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    1 day ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    1 day ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    3 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    4 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..
Author

પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..

Khaskhabar Editor
Last updated: 2025/09/06 at 4:40 PM
Khaskhabar Editor 7 hours ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા

“દ્રાક્ષ ખાટી છે” વાળા ચતુર શિયાળની વાર્તા યાદ છે ? ગ્રીક ફિલસૂફ ઇસપને નામે ચડી ગયેલી મૂળ હિતોપદેશ કે પંચતંત્રની વાર્તા એમ હતી કે શિયાળને દ્રાક્ષના ઝૂમખાં દેખાય છે પણ અનેક પ્રયાસ છતાં તે એને મેળવી શકતું નથી. છેવટે ચતુર શિયાળ શું કરે છે તે આપણે સુપેરે જાણીએ છીએ. શિયાળ “દ્રાક્ષ ખાટી છે” એમ કહીને ચાલતી પકડે છે !!

- Advertisement -

આ વાર્તા ભલે બાળકોને ભણાવવામાં આવે પણ એમાં જે સંદેશ છે તેને સમજવામાં ભલભલા થાપ ખાઈ જાય છે અને સુખ હોવા છતાં એને ભોગવી શકતા નથી.

શિયાળનો પોતાના માઈન્ડ ઉપરનો ક્ધટ્રોલ ગજબ છે. કશુંક નથી મળ્યું તો એનો અપરાધભાવ કે એની વાસના સતત પાળીને મનને કલુષિત કરવા કરતા એક નાના બાળકની જેમ મનને “ફોસલાવી” દેવું વધુ સારો ઉપાય છે.

કેમકે જો મનને ફોસલાવશું કે મનાવિશું નહિ તો મન જ આપણો શત્રુ બની જશે. પૈસે ટકે સમૃદ્ધ એવા અનેક લોકો મનની અમર્યાદિત ઈચ્છાઓની પરિપૂર્તિ કરતા કરતા એવી અવસ્થામાં પહોંચી જાય છે કે જ્યા એમને જીવતર કરતા મૃત્યુ વહાલું લાગે છે અને તેઓ આત્મહત્યા કરે છે. આ પરિણામ છે મન ઉપર સંયમના અભાવનું.

- Advertisement -

હમણાં પર્વાધિરાજ પર્યુષણ નો સમય ચાલે છે. પર્યુષણ પર્વ શરીર અને મનની શુદ્ધિનું પર્વ છે.ક્ષમા, પ્રતિક્રમણ, ઉપવાસ અને ઉપદેશ શ્રવણ દ્વારા મન અને શરીર બેયના ઝેર દૂર થઈ જાય છે.

આજે “અંધ-વિકાસ-પ્રેમી” થયેલા આપણા દેશમાં કદાચ આ સંયમની વાતોને માનવા વાળા ઓછા જડે પણ જ્યા નાણાં ની છલોછલ છે, જ્યા સુખ સમૃદ્ધિનો પાર નથી એવા અમેરિકન અને યુરોપિયન દેશોમાં હવે સાચા સુખની વ્યાખ્યા બદલાઈ છે. ત્યાંના લોકો ભૌતિક સુખોની ઝાકમઝોળ ભોગવી ચુક્યા છે તેથી જાણે છે કે આ સુખોની ઈચ્છાઓનો કોઈ અંત નથી.. આદિનાથ ઋષભદેવ થી લઈને મહાવીર સ્વામી સુધી દીક્ષા /સન્યાસ લેનારાઓ રાજવીઓ હતા જેમણે સુખ સમૃદ્ધિ ભોગવીને સંયાસનું મહત્વ જાણી લીધેલું.

આજે પશ્ચિમી સંશોધકો ઈમોશનલ ક્ધટ્રોલ ઉપર ખૂબ રિસર્ચ કરે છે.(અને આપણે ત્યાં ધર્મને નામે દંભ અને દેખાડા વધતા ચાલ્યા છે) ન્યુઝીલેન્ડમાં 1972થી લાગલગાટ દસ વર્ષ સુધી એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમા એક હજાર બાળકોના જીવનનો અભ્યાસ કરવામાં આવ્યો. આ પ્રયોગનું નામ હતું : ડનેડીન સ્ટડી. આ પ્રયોગમાં જોવા મળ્યું કે જે બાળકો નાનપણથી પોતાના ઇમ્પલ્સ (તીવ્ર લાગણીઓ) ઉપર નિયંત્રણ કરી શકતા હતા તેઓ મોટા થઈને એક સફળ, સુખી જીવન નિર્માણ કરી શક્યા.

જ્યારે જે બાળકોનો સેલ્ફ ક્ધટ્રોલ ઓછો હતો એમને આગળ જતાં જીવનમાં અનેક મુશ્કેલીઓ પડી. આ બાળકો નિર્ધન, રોગી અને અમુક કેસિસમાં તો ક્રિમીનલ વૃત્તિ વાળા બન્યા.

નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ: આ બધા યોગમાર્ગી મતો છે

યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે

આ પ્રયોગે સાબિત કર્યું કે નાનપણથી જે મન ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે.
મન ઉપર નિયંત્રણ ભલે બહુ ચેલેંજીંગ કામ ગણાતું હોય પણ અશક્ય નથી.

વરસો પહેલાં નુસરત ફતેહ અલી ખાને એક કવાલી ગાઈ અને તે બહુ જ પ્રચલિત થઈ ગઈ. કવવાલી હતી : તુમ એક ગોરખધંધા હો… નાઝ ખ્યાલવી નામના શાયરની આ અદભૂત રચના મૂળ તો એ મતલબની હતી કે ઈશ્વર એક ગોરખધંધો છે. પણ આજે લોકોને દારૂ અને પ્રેમ આ બેય વસ્તુઓનો નશો એટલો ચડ્યો છે કે દરેક શાયરીમાં દારૂ અને પ્રેમ શોધતા ફરે છે. હકીકતે આ “ગોરખધંધા” વાળી રચના એક સૂફી રચના હતી અને એમાં ઇશ્વરના સહજ સ્વરૂપની વાત કરવામાં આવી હતી.

પણ સમય જતાં ગોરખધંધા શબ્દ નું અવમૂલ્યન થવા લાગ્યું. લોકો ગોરખધંધો એટલે કોઈ ગેરકાયદેસર કામ એવું માનવા લાગ્યા.

પણ હકીકત શું હતી ?
નાથ સંપ્રદાયના સાધુઓ સન્યાસીઓ હાથમાં બે ધાતુની રીંગ વાળું એક રમકડું લઈને ફરતા. આ રમકડું “ગોરખયંત્ર” કહેવાતું. કહેવાતું કે આની રચના નાથ સંપ્રદાયના પ્રવર્તક એવા ગુરુ મત્સ્યેન્દ્રનાથ ના શિષ્ય એવા ગુરુ ગોરક્ષનાથે કરેલી. આવું રમકડું આજની તારીખે રમકડાંની દુકાને મળી જાય ખરું.

ગોરખયંત્રમાં ધાતુની બે રિંગને એકબીજામાં ફસાવાયેલી રહેતી અને એ ધાતુની બે રિંગ્સ ને કાપ્યા વિના એકબીજાથી અલગ કરવાની ચેલેન્જ આપવામાં આવતી. લોકો મથી મથીને થાકી જાય પણ કોઈ વાતે આ રિંગ્સ એકબીજાથી અલગ થતી નહિ.

છેવટે થાકી હારીને લોકો પેલા સન્યાસીને ગોરક્ષયંત્ર પાછું આપી દેતા અને એને જ આ રિંગ્સ છૂટી પાડી દેવાનું કહેતા. સન્યાસી ચપટી વગાડતાં જ આ બેય રિંગ્સ ને એકબીજાથી અલગ કરી દેતા !! લોકોને આ જોઈને વિસ્મય થતું કે આટલું સરળ હોવા છતાં તેઓને પોતાને કેમ આટલું મથવું પડ્યું?!

ત્યારે સન્યાસી સમજાવતા કે મનને વશ કરવાનું કામ આટલું જ સરળ છે. પણ લોકો અકારણ પોતાની જાતને કષ્ટ આપીને, અનેક કર્મકાંડો , વિધિ વિધાન કરીને મનને વશ કરવા પ્રયાસ કરે છે.

આમ ગોરક્ષ્યંત્ર મનની ગતિ ને પામીને સહજ યોગ પ્રાપ્તિ સમજાવવા માટેનું એક મોડેલ હતું. કવિ નાઝ ખયાલવી એ એની ઉપરથી રચના કરી કે હે ઈશ્વર , તુમ તો એક ગોરખધંધા હો,…અર્થાત્ હે જગતના અધિપતિ તને પામવો એકદમ સહજ છે, .પેલા ગોરક્ષ યંત્રને સોલ્વ કરવા જેમ લોકો મથી મથીને થાકતા એમ હું પણ તને પામવા બહુ મથ્યો છું પણ મને જાણ છે કે તું તો સહજ સરળ સ્વભાવનો છે.

શાયર નાઝ એ ગીતમાં કહે છે કે “મે જીસ્કો કહ રહા હું અપની હસ્તી, અગર વો તું નહિ તો ઓર ક્યા હૈ”.. આ ગીત બહુ માણવા અને જાણવા જેવું છે..

નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ — આ બધા મત યોગમાર્ગી મતો છે. યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે. (નાથ સંપ્રદાય અને જૈન મતના ગાઢ સંબંધ અંગે ફરી કોઈવાર લંબાણથી વાત)

મન ઉપર નિયંત્રણ જ અંદર બેઠેલા ઈશ્વર નું દર્શન કરાવી શકે છે.. અને આ મન ઉપરનું નિયંત્રણ ભલે કઠિન ગણાતું હોય ,તે ગોરખયંત્રની જેમ સરળ છે.

પર્વાધિરાજ પર્યુષણ આ સહજ સાધનાનું પર્વ છે. ગુરુ ગોરખનાથના ગોરખયંત્રની બેય રિંગ્સ મન અને આત્મા (ગીતાજીમાં મનને આત્મન કહ્યું છે) છે. બેયને છૂટા પાડવાનું કામ એટલે ધ્યાન. ધ્યાન સરળ કામ છે. જેમ ચતુર શિયાળે ફટ દઈને “દ્રાક્ષ ખાટી” કહી દીધી એટલું જ સરળ કામ છે..

પર્યુષણ પર્વની હાર્દિક શુભકામનાઓ .

You Might Also Like

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

રહેમાનનો જાદુ

સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે

વિશ્ર્વાસ પરમપિતા પરનો

TAGGED: PARYUSHAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે
Next Article રહેમાનનો જાદુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર માટે 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : કુંવરજી બાવળિયા
રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ડ્યુઅલ-સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક હોર્ડિંગ લૉન્ચ
રાજુલા ખાતે સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની શુભેચ્છા મુલાકાત
વીરપુર (જલારામ) ખાતે નેશનલ હાઈવેના નાલાના પ્રશ્ર્ને વિરોધ
‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતી યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Author

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

રહેમાનનો જાદુ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?