રાજ્યભરમાં અત્યારે કોરોનાના સતત વધતા કેસોએ ભરડો લીધો છે. જેમાં શિક્ષણ તંત્રને પણ ઘણી માઠી અસરો નીપજી છે. રાજ્યમાં અત્યારે સૌથી વધુ કોરોનાના કેસો સુરત અને અમદાવાદ ખાતે જોવા મળી રહ્યા છે.
સુરત મ્યુનિ. વિસ્તારમાં ગઈકાલે 2464 લોકો પોઝિટીવ આવ્યા છે; તેમાં 59 વિદ્યાર્થી સંક્રમિત થયાં છે. આ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા 9 શાળા બંધ કરવામા આવી છે. જ્યારે વરાછા એ ઝોનની એક સોસાયટીમાં 13 અને 12, વરાછા બી ઝોનની એક સોસાયટીમાં 9 અને ઉધના બી ઝોનની એક સોસાયટીમાં 11 કેસ આવતાં આખી સોસાયટીને ક્લસ્ટર જાહેર કરીને તેના પર અવર જવર કરવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.
- Advertisement -
સુરતમાં સતત કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજરોજ એક જ સોસાયટીમાં એક સાથે એકથી વધુ કેસ આવતાં મ્યુનિ. તંત્ર ચોંકી ઉઠયું છે. સોસાયટીમાં સામુહિક કેસ આવતાં તંત્રએ સોસાયટીને ક્લસ્ટર જાહેર કર્યું છે. આજે વરાછા એ ઝોનમાં બે સોસાયટીમાં 23 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં કાપોદ્રા વિસ્તારમા આવેલી રવિ પાર્કસોસાયટીમાં 13 અને વરાછાના અભય નગરમાં ૧૦ કેસ જાહેર થતાં બન્ને સોસાયટીને ક્લસ્ટર જાહેર કરી અવર જવર બંધ કરી દીધી છે.
વરાછા બી ઝોનમાં યોગીચોક વિસ્તારમાં આવેલી વ્રજ વિધાતા સોસાયટીમાં એક સાથે ૯ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ઉધના ઝોનમાં વડોદ વિસ્તારનાં અમિથરા રેસીડન્સીના 11, ભેસ્તાનના શશીરૂપ હોમ્સના 8 લોકો પોઝિટિવ આવતાં સોસાયટીને ક્લસ્ટર જાહેર કરાઇ છે.મ્યુનિ. તંત્રના ચેકીંગ દરમિયાન શાળાઓમાં પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 59 વિદ્યાર્થી પોઝિટિવ આવતાં તંત્રએ એલ.પી. સવાણી, ભારતી મૈયાર, ખોડિયાર વિદ્યાલય, આદર્શ એલ.ડી. શાળા, માતાવાડી સુમન સ્કુલ, સરદાર પટેલ સ્કુલ કોસાડ,અર્ચના વિદ્યાલય, સંસ્કાર તીર્થ તથા શ્રેય શાળા હાલમાં બંધ છે.