હવે અઢી લાખ ગ્રાહકોને વીજ પુરવઠામાં ઝડપી રાહત મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન મંજૂર થતા હવે અઢી લાખ ગ્રાહકોને ત્યાં લાઈટ જશે તો ઝડપથી આવી જશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 12 જિલ્લાના 61 લાખ જેટલા ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડતા ઙૠટઈકની કચેરી હેઠળ હાલ 46 જેટલાં ડિવિઝનમાં 281 સબ ડિવિઝન આવેલા છે. અંદાજે પાંચથી છ મહિનામાં રાજકોટ રૂરલમાં 2, સુરેન્દ્રનગરમાં 2, જામનગરમાં 2 ઉપરાંત જૂનાગઢ, ભાવનગર અને પોરબંદરમાં 1-1 નવા સબ ડિવિઝન નિર્માણ પામશે. એને લીધે ત્યાંના ગ્રાહકોને ત્યાં લાઈટ જશે તો તેનો વીજ ફોલ્ટ શોધવા અને રિપેરિંગ કરવામાં 20 ટકા ઝડપ આવશે. અહીં ગૂલ થયેલી લાઈટ ઝડપથી આવતા 2.50 ગ્રાહકોને ફાયદો થશે. નવુ સબ ડિવિઝન બનતા ગ્રાહકોના ઘરે અથવા દુકાન કે કારખાનામાં લાઈટ ડૂલ થઈ જાય તો વીજ ફોલ્ટનું તાત્કાલિક રિપેરિંગ થશે અને વીજ પુરવઠો ઝડપથી પૂરો પાડી શકાશે. નવા સબ ડિવિઝન જ્યાં નિર્માણ પામવાના છે, તેનો ગ્રાહકોને સૌથી વધુ લાભ ચોમાસામાં મળશે, કારણ કે, વરસાદમાં વારંવાર લાઈટ ડૂલ થઈ જાય છે અને કલાકો સુધી લોકોને હેરાનગતિ ભોગવી પડે છે, પરંતુ નવા સબ ડિવિઝનથી સ્ટાફમાં વધારો થતાં વીજ ફોલ્ટ રિપેરિંગ તાત્કાલિક થશે અને ઓછો સમય લાઇટ વિના વિતાવવો પડશે.
નવી સબ ડિવિઝન કચેરી બનતા તેમાં ડેપ્યુટી એન્જિનિયર સહિત 40 વ્યક્તિનો નવો સ્ટાફ આવે. ડેપ્યુટી એન્જિનિયરને 1 અને લાઈન વર્ક માટે 2 ગાડી ફાળવવામાં આવે, જેથી વીજફોલ્ટ સર્જાયો હોય ત્યાં પહોંચવામાં 20 ટકા ઝડપ આવે. ઉદાહરણ તરીકે કોઈ વિસ્તારમાં વીજફોલ્ટ થયા બાદ પીજીવીસીએલ કચેરીમાં ફોન કર્યા પછી 10 મિનિટમાં ગાડી પહોંચી હોય તો ત્યાં 8 મિનિટમાં ગાડી પહોંચી જાય છે.એક સબ ડિવિઝનમાંથી બાયફર્ગેશન કરીને નવું સબ ડિવિઝન બનાવવામાં આવે છે, જેથી નવા સબ ડિવિઝનમાં ગ્રાહકોની સંખ્યા ઘટી જતા તેમને સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય છે. એટલે વીજ ફોલ્ટ થાય તો તેને તાત્કાલિક રિપેર કરી લોકોને ઝડપથી વીજપુરવઠો પૂરો પાડી શકાય છે. નવું સબ ડિવિઝન બનતા ત્યાં ઈ-ઊર્જા કનેક્ટિવિટી આપવામાં આવે છે, જેથી ત્યા નવી કેસ વિન્ડો રાખવામાં આવે છે. અહીં ગ્રાહકો બિલ ભરી શકે છે. એટલે કે અત્યાર સુધી ગ્રાહકોને બિલ ભરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું તેને બદલે નવું સબ ડિવિઝન બનતા તેના ગ્રાહકો ઝડપથી વીજ બિલ ભરી શકશે. આ સાથે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ પણ ઝડપથી આવશે.
આ 9 જગ્યાએ નવા સબ ડિવિઝન મંજૂર