ઈરાનથી દેશનિકાલ કરાયેલા અફઘાન સ્થળાંતરીઓને લઈ જતી એક બસ હેરાત પ્રાંતમાં ટ્રક અને મોટરસાઇકલ સાથે અથડાયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, જેમાં 17 બાળકો સહિત 71 લોકો માર્યા ગયા, એમ અફઘાન પ્રાંતીય અધિકારીઓએ પુષ્ટિ આપી.
આ અથડામણમાં 71 લોકો માર્યા ગયા હતા
- Advertisement -
મુસાફરોને ઈરાનથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 17 બાળકોના મોત થયાના અહેવાલ છે.
પ્રવક્તાએ આપી માહિતી
- Advertisement -
આ મામલે પ્રાદેશિક સરકારના પ્રવક્તા અહેમદુલ્લાહ મુત્તાકીએ ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો. હેરાતમાં બસ, ટ્રક અને બાઈક વચ્ચે આ ટક્કર થઇ હતી. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો એક વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે અને આજુબાજુ ગભરાયેલા લોકોની ભીડ પણ દેખાઈ રહી છે.
દુર્ઘટનાનું કારણ જણાવ્યું
અન્ય એક પ્રાદેશિક અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ જણાવ્યું કે આ બસમાં ઈરાનમાંથી કાઢી મૂકાયેલા અફઘાની નાગરિકો સવાર હતા જે ઈસ્લામ કલા બોર્ડર ક્રોસ કરી કાબુલ તરફ જઇ રહ્યા હતા. જોકે અકસ્માતનું કારણ જણાવતા મુત્તાકીએ કહ્યું કે આ દુર્ઘટના હેરાત શહેરના બાહ્વ વિસ્તાર ગુજારા જિલ્લામાં બસની વધારે પડતી સ્પીડ અને અને બેદરકારીને કારણે થયું હતું. બસ પહેલા બાઈક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ જ લોકોનો જીવ બચ્યો હતો. જોકે ટ્રક અને બાઈકચાલક ચાર લોકો પણ મૃતકોમાં સામેલ છે.