લેડી ડોક્ટરના રેપ-મર્ડર અને તેના પ્રત્યાઘાત તરીકે હોસ્પિટલમાં તોડફોડના મામલે કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મમતા સરકાર પર બરાબરના ભડક્યાં છે.
તોડફોડના મામલામાં 19 લોકોની ધરપકડ
કોલકાતા પોલીસે શુક્રવારે કહ્યું કે તેણે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ અને હિંસાના કેસમાં અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોને શહેરની અદાલતે 22 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પરિસરમાં અજાણ્યા બદમાશોએ ઘૂસીને તેના કેટલાક ભાગોમાં તોડફોડ કરી હતી.
- Advertisement -
હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને બીજે ખસેડો
કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો સારું રહેશે. આ દરમિયાન કોર્ટમાં હાજર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે પોલીસ ફોર્સ ત્યાં હાજર છે. તેના પર ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે તે પોતાના લોકોની સુરક્ષા પણ કરી શકતો નથી. આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. ડૉક્ટરો કેવી રીતે નિર્ભયતાથી કામ કરશે?
સાવચેતીના શું પગલાં લેવાયાં?
- Advertisement -
ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને પૂછ્યું કે આ ઘટના પછી તમે શું કરી રહ્યા છો? સાવચેતી રૂપે કયા પગલાં લેવાયા? તેના પર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિકાસ રંજન ભટ્ટાચાર્યએ કહ્યું કે સીબીઆઈ તપાસ માટે બપોરે 3 વાગ્યે સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકારના વકીલે કહ્યું કે જ્યાં સુધી તોડફોડને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાંનો સંબંધ છે, ત્યાં અચાનક 7000 લોકોની ભીડ એકઠી થઈ ગઈ, ત્યારબાદ ટીયર ગેસ છોડવામાં આવ્યો, પોલીસ ઘાયલ થઈ ગઈ. અરાજકતાની આવી કટોકટીની પરિસ્થિતિમાં તોડફોડ થઈ.
7000 લોકો વોક માટે ન આવી શકે
સ્થિતિને સારી રીતે સંભાળી ન શકવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવતાં ચીફ જસ્ટિસે કહ્યું કે તમે કોઈ પણ કારણથી સીઆરપીસીની કલમ 144 લાગુ પાડી દો છો. જ્યારે આટલો હોબાળો મચી રહ્યો હતો ત્યારે તમારે એરિયાની ઘેરાબંધી કરી દેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે 7000 લોકો વોકિંગ માટે ન આવી શકે.