અનુસૂચિત જાતિની દીકરીઓના લગ્ન પ્રસંગે ₹12,000ની આર્થિક મદદ;
પુન: લગ્નના કિસ્સામાં પણ યોજનાનો લાભ આપી રાજ્ય સરકારે દાખવી સંવેદનશીલતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ’કુંવરબાઇનું મામેરું’ યોજના થકી અનુસૂચિત જાતિના પરિવારોને તેમની દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મોટો આર્થિક ટેકો આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યની 52,000થી વધુ દીકરીઓને ₹60 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ યોજના માત્ર આર્થિક મદદ નથી, પરંતુ છેવાડાના નાગરિકને આત્મસન્માન સાથે લગ્ન જીવન શરૂ કરવા માટેનું પ્રોત્સાહન છે. યોજનાનો લાભ વધુને વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે તે માટે સરળ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તાર માટે રૂ. 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. એક કુટુંબમાં વધુમાં વધુ બે દીકરીઓના લગ્ન માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં દીકરીની વય 18 વર્ષ અને દીકરાની વય 21 વર્ષ હોવી જરૂરી છે. સરકારે અરજી પ્રક્રિયાને ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે સંપૂર્ણપણે ઓનલાઇન કરી દીધી છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ યતફળફષસફહુફક્ષ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પોર્ટલ પર ઘરે બેઠા અરજી કરી શકે છે. આ પારદર્શી પ્રક્રિયાને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોઈ પણ વિલંબ વગર સહાય પ્રાપ્ત થાય છે, જેનાથી લગ્નના આયોજન અને ખરીદીના આર્થિક બોજમાં મોટી રાહત મળે છે. ‘કુંવરબાઇનું મામેરું’ યોજના એ સાબિત કરે છે કે સંવેદનશીલ સરકાર કેવી રીતે ગરીબ પરિવારોના જીવનમાં આનંદ અને ગૌરવ લાવી શકે છે.
આવક મર્યાદા : શહેરી અને ગ્રામીણ વિસ્તાર માટે ₹6 લાખ સુધી
લાભની મર્યાદા : એક કુટુંબની મહત્તમ 2 દીકરીઓ માટે
ઉંમર મર્યાદા : દીકરીની વય 18 વર્ષ અને દીકરાની વય 21 વર્ષ
ખાસ જોગવાઈ પુન : લગ્નના કિસ્સામાં પણ યોજનાનો લાભ મળવાપાત્ર
અરજીનો સમય : લગ્નના 2 વર્ષની અંદર અરજી કરી શકાય છે



