બટુક ભોજન બાદ 40થી વધુ બાળકને અસર થઇ હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મૂળી તાલુકાનાં કુંતલપુર ગામે ગરબી મંડળ દ્વારા સોમવારે સભ્યો અને બાળકો માટે ભોજનમાં 400થી વધુ બાળકો, શિક્ષકો અને ગ્રામજનોએ ભોજન આરોગ્યું હતું. જેમાંથી 40 જેટલા બાળકને ફૂડ પોઇઝનિંગની અસર થતા દોડધામ મચી હતી. જોકે, તમામ બાળકોને સારવાર આપી રજા અપાઇ હતી.
- Advertisement -
પરંતુ આ બનાવથી ફૂડ વિભાગે ગામમાં જઇને તપાસ હાથ ધરીને ભોજનમાં લેવાયેલી ખાદ્યચીજવસ્તુઓના 6 નમૂના લઇને વડોદરા તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મૂળી તાલુકાનાં કુંતલપુર ગામે સોમાવારે મંડળનાં સભ્યો દ્વારા સમૂહ ભોજનનુ આયોજન કરાતા બાળકો, શિક્ષકો અને ગ્રામજનો સહિત 400થી વધુ લોકોએ પૂરી, શાક, દાળભાત સહિતની રસોઇ આરોગી હતી. જેમાં ધો. 1થી 6નાં 40થી વધુ બાળકને ઉલ્ટી, પેટમાં દુ:ખાવો સહિતની અસર થઈ હતી. વધુ સારવાર માટે મૂળી હોસ્પિટલ ખાતે લઇ જઇ બાળકોને સારવાર આપી બાળકોને રજા અપાઇ હતી. આ બનાવમાં ખાદ્યચીજવસ્તુઓ આરોગવાથી થયેલી અસરની ગંભીરતા લઇને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ કુંતલપુર ગામે દોડી ગઇ હતી. બનાવ સ્થળેથી શાક, પૂરી, દાળભાત, બુંદી તેમજ છાશ એમ કુલ 6 સેમ્પલ લેવાયા હતા.