આગામી ટૂંક સમયમાં વધુ નવી 48 CNG સિટી બસ શરૂ કરાશે
નવી 52 પૈકી 10 CNG સિટી બસનું લોકાર્પણ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ભાગરૂપે હાલમાં કાર્યરત ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવાનો નિર્ણય કરેલ. જે અંતર્ગત ‘રાજકોટ રાજપથ લિ.’ દ્વારા શહેરી બસ સેવા માટે 100 નોન એ.સી. સી.એન.જી. મીડી બસ (ડ્રાઈવર તથા કંડકટર સહિત)ના પ્રોક્યોરમેન્ટ તથા ગ્રોસ કોસ્ટ મોડલથી સપ્લાય કરવાના કામની જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરીને એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે.
આ કામની એજન્સીને ગ્રોસ કોસ્ટ મોડેલથી ડ્રાઇવર, ક્ધડક્ટર, ફ્યુલ, ઓપરેશન તથા મેઈનટેનન્સ સાથે 08(આઠ) વર્ષ ચલાવવા માટે 100 સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ જણાવેલ છે.
- Advertisement -
જે અંતર્ગત એજન્સી દ્વારા પ્રથમ તબક્કામાં શહેરમાં હાલમાં કાર્યરત 52(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમનું નિમંત્રણ પાઠવતાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ જણાવે છે કે, આ નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ પૈકી ટોકન સ્વરૂપે 10(દસ) બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) આવતીકાલે તા.20 મી જુન,2024ના રોજ સાંજે 6:15 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતેથી રાજકોટના સાંસદ માન. શ્રી પરસોતમભાઈ રૂપાલાના વરદ્દ હસ્તે કરવામાં આવશે અને શહેરમાં 52(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થશે. આ લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.
આ નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસનું લોકાર્પણ(ફલેગ ઑફ) કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો. માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. શહેરમાં નવી સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્તરમાં તથા પ્રદુષણનાં સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે.