સાંજે મહાદેવને પ્રિય ચંદન શૃંગાર સાથે અંતિમ સોમવારે 40 હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સોમનાથ મંદિર પરિસરની બહાર મધ્યાહન રાત્રિથી જ ભકતોની ભીડ જામી હતી.
- Advertisement -
ત્યારે મંદિરના દ્વારા વહેલી સવારે 4 વાગ્યે ખુલ્યાની સાથે જ શિવભક્તો હર હર મહાદેવ અને જય સોમનાથનો નાદ કરતા મંદિરમાં પવેશ્યા હતા.સૌપ્રથમ વહેલી સવારે મહાદેવની મહાઆરતી અને મહાપૂજા તેમજ પીળા પુષ્પોનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પરંપરાગત પાલખીયાત્રા, મધ્યાહન શૃંગાર, મધ્યાહન પૂજા તેમજ સાંજના સમયે મહાદેવને ચંદનનો લેપ લગાવી 100 કિલો જેટલા પુષ્પોથી સુશોભન કરવામાં આવ્યું હતું.હિન્દુ સંસ્કૃતિમાં ચંદન શાંતિના પ્રતિક માનવામાં આવે છે. મહાદેવને ચંદન અર્પણ કરવાથી ભકતોને મહાદેવ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ત્યારે સોમનાથ મહાદેવને વિશ્વશાંતિ ની પ્રાર્થના સાથે ચંદન દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સાથે જ સોમનાથ મહાદેવ ને અન્નકુટ મહાભોગ ધરાવવામાં આવેલ હતો.
સાયં આરતી સુધીમાં અંદાજે 40 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. સાથેજ પુજાવિધિમાં 52 ધ્વજાપૂજન-ધ્વજારોહણ, 45 સોમેશ્વર મહાપૂજન, 620 રૂદ્રાભિષેક, 900 જેટલા પરીવારોએ શ્રાવણ માસ પર્યન્ત ચાલતા મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઇ 20 હજારખી વધુ આહુતી અર્પણ કરી ધન્ય બન્યા હતા. શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના નિશ્રામાં 2761 જેટલી વિવિધ પૂજાવિધિ કરવામાં આવેલ હતા.