ખનિજ ભરેલા વાહનો સહિત કુલ રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં થતા ખનિજ ચોરી અને આ ગેરકાયદેસર ખનીજના વાહનને રોકવાની જવાબદારી મોટાભાગે ખાણ ખંજન શિરે હોય છે કારણ કે ખાણ ખનિજ વિભાગ અને તેના અધિકારીને ખનિજ ચોરી રોકવા સિવાય અન્ય ફરજ આવતી નથી પરંતુ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ખનિજ વિભાગ નિષ્ક્રિય ભૂમિકામાં નજરે પડે છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા પોતે ખનિજ ચોરીને ડામવા માટે મેદાને ઉતર્યા છે જેમાં રાત્રીના સમયે ખનિજ ચોરી કરી વાહન કરતા ઈસમો અને મુદામાલને ઝડપી લીધા હતા. મળતી માહિતી અનુસાર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા ગત રાત્રી દરમિયાન ચોટીલા રાજકોટ હાઈવે સહિત જુદાજુદા વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી રેતીનું ગેરકાયદે ખાણ કરી પાસ પરમીટ વગર વાહનમાં ભરીને લઈ જતા કુલ પાચ ડમ્ફર ઝડપી લીધા હતા આ સાથે કેટલાક માફીયાઓ જે અધિકારીઓની રેકી કરી ગ્રુપમાં મેસેજ વિરલ કરતા હોય તેવા ખનિજ માફિયાઓના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવતા હતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પાંચ ડમ્ફરન રેતી સહિત કુલ 1,20,85,444/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.