શરદી-ઊધરસના 738, ઝાડા-ઊલટીના 136, સામાન્ય તાવના 764 કેસ નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બેવડી ઋતુના લીધે મચ્છકજન્ય રોગચાળો ફેલાયો છે. જેમાં પણ મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતનાં કેસો વધી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના આંકડા જાહેર કર્યા છે. છેલ્લાં એક અઠવાડિયામાં જ ડેન્ગ્યુના 4 તો મેલેરિયાનો વધુ 1 કેસ નોંધાયો છે. આ સાથે જ ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસ 31 તો મેલેરિયાના કેસનો આંકડો 14એ પહોચી ગયો છે. આ સિવાય અઠવાડિયામાં શરદી-ઊધરસના 738 , ઝાડા ઉલટીના 136 તો સામાન્ય તાવના 764 કેસો નોંધાયા છે. જ્યારે ટાઇફોઇડના 2 તો કમળાનો 4 કેસ નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 72,703 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 2,058 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 1046 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 301 અને કોર્મશીયલ 204 આસામીને નોટિસ આ5વામાં આવેલ છે.