ધ લૈંસેટ ઇન્ફેક્શન ડિસીઝ મેગેઝીનમાં હાલમાં એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં કોવિડની રસીને લઇને એક અધ્યયન રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે, ભારતમાં કોવિડ-19 વિરોધી રસીને કારણે 42 લાખ લોકોની જિંદગી બચી ગઇ છે. અધ્યયન અનુસાર, વિશ્વ સ્તર પર ગાણિતીય મોડલિંગ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, વૈશ્વિક મહામારી દરમ્યાન કોવિડ-19 વિરોધી રસીની શોધ અને તેમના ઉપયોગના કારણે લગભગ 2 કરોડ લોકોનું જીવન બચી ગયુ છે.
- Advertisement -
185 દેશોમાં થયો અભ્યાસ
અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે, વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થતા પહેલા વર્ષમાં લગભગ, 1.98 કરોડ લોકોની જિંદગી બચી ગઇ છે. આ અનુમાન 185 દેશો અને ક્ષેત્રોમાં મૃત્યુના આંકડા પર આધારિત છે. જો WHO વર્ષ 2021ના આખર સુધીમાં પ્રત્યેક દેશની લગભગ 40 પ્રતિશત વસ્તીના વેક્સીનેશન કરવા માટેના લક્ષ્ય પૂરા કરવામાં આવ્યા, જે 5,99,300 અને લોકોની જિંદગી બચી શકી નહોતી.
એક વર્ષના અધ્યયન પર આધારિત રિઝલ્ટ
અધ્યયન અનુસાર, 8 નવેમ્બર, 2020થી 8 ડિસેમ્બર, 2021ની વચ્ચે રસીની મદદથી બચી ગયેલા લોકોની સંખ્યા પર આધારિત છે. અધ્યયનના પ્રમુખ લેખક બ્રિટેનના ઇમ્પીરિયલ કોલેજ લંડનના ઓલિવર વાટસનએ કહ્યું કે, ભારતની વાત કરીએ તો આ દરમ્યાન લગભગ 42 લાખ લોકોની જિંદગી બચી ગઇ. આ એખ અનુમાન છે. આ અનુમાન હેઠળની સંખ્યા 36 લાખથી 43 લાખ લોકોની જિંદગી બચી ગઇ.