By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેનમાં મુસ્લિમ ધાર્મિક તહેવારો ઉજવવા પર રોક, લોકોમાં આક્રોશ
    6 hours ago
    મિસિસિપી નદીમાં હેલિકોપ્ટર વીજળીના તાર સાથે અને બાર્જ સાથે અથડાતા 2 લોકોના મોત
    8 hours ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    1 day ago
    પ્રધાનમંત્રી મોદી SCO સમિટ માટે ચીન જશે, 2019 પછી પહેલી વાર ચીન જશે
    1 day ago
    હવે એક પણ અફઘાનિસ્તાની પાકિસ્તાનમાં નહીં રહી શકે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે EDનો ઉધડો લીધો
    3 hours ago
    દુનિયાની તમામ સમસ્યાનું મૂળ માણસનો લોભ અને સ્વાર્થ વૃત્તિ છે : મોહન ભાગવત
    3 hours ago
    માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ
    3 hours ago
    UPના 24 જિલ્લામાં પૂર, 1245 ગામડાં પાણીમાં ડૂબ્યા
    3 hours ago
    પુતિન આ વર્ષે ભારત આવશે! મોસ્કોમાં NSA ડોભાલ સાથે મુલાકાત, કહ્યું ભારત-રશિયાના સંબંધ અનોખા
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    6 hours ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    3 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    3 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    7 hours ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    7 hours ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    4 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    8 hours ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 day ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    3 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    3 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    4 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 day ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    3 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    4 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    1 week ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાંકાનેરમાં અમિત કોટેચાની હત્યા કેસમાં 3 આરોપીને આજીવન કેદ, 3 લાખનો દંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાંકાનેરમાં અમિત કોટેચાની હત્યા કેસમાં 3 આરોપીને આજીવન કેદ, 3 લાખનો દંડ
રાજકોટ

વાંકાનેરમાં અમિત કોટેચાની હત્યા કેસમાં 3 આરોપીને આજીવન કેદ, 3 લાખનો દંડ

Khaskhabar Editor
Last updated: 2025/08/08 at 5:26 PM
Khaskhabar Editor 3 hours ago
Share
5 Min Read
SHARE

11 સપ્ટેમ્બર 2022ના રોજ આરોપી ઈમરાન અને ઈનાયતે છરીના આડેઘડ
ઘા ઝીંકી સરફરાજને ફોન પર કહ્યું ‘અમિત ઉર્ફે લાલાનું પુરું કરી નાખ્યું છે’

આરોપી સરફરાજે સુરેશ ગોંડલીયાને આપેલા પૈસાના વ્યાજની ઉઘરાણી કરવામાં અમિત અવાર નવાર વચ્ચે પડી નડતો હતો

- Advertisement -

સંભવત પ્રથમ વખત હત્યાના બનાવ સમયે એક ફોન કોલ્સ પર કાવતરામાં આરોપીની સંડોવણી માની કોર્ટે આજીવન સજા ફરમાવી

10 સાક્ષીના નિવેદન, મોબાઇલ લોકેશન, કોલ રેકોર્ડિંગ અને છરી સહિતના પુરાવા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

વાંકાનેરમાં તા.11/09/2022ના રોજ મોડી રાત્રે 01:00 વાગ્યે અમરનાથ સોસાયટીના નાકે લેથવાળાની દુકાન પાસેથી અમિત ઉર્ફે લાલો અશ્વિનભાઈ કોટેચા લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તપાસમાં તેના ગુપ્ત ભાગે છરી ઝીંકી હત્યા કરાયાનુ ખુલ્યુ હતુ. આ મુદ્દે મૃતકના ભાઈ હિમાંશુ કોટેચાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા અને સરફરાજ હુશેનભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી હિમાંશુને તેના ભાઈ અમીત ઉર્ફે લાલાભાઈએ તેને વાત કરી હતી કે ત્રણ દિવસ પહેલા સરફરાજ અને ઈમરાને સુરેશ બાવાજીને આપેલ પૈસાની વ્યાજની રકમમાં લેવા આવ્યા ત્યારે હું વચ્ચે પડ્યો હતો. જેથી તેઓ મારી સાથે માથાકૂટ કરશે. જેથી તું પણ ધ્યાન રાખજે તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ બનાવની રાત્રીના 1-00 વાગ્યે હિમાંશુ કોટેચાના પિતરાઈ ભાઈ વિરલ બુધ્ધદેવનો ફોન આવ્યો અને તેને તાત્કાલીક લાલા લેથવાળાની દુકાન પાસે, અમરનાથ સોસાયટીમાં આવવા માટે મને જણાવ્યુ હતુ. જેથી ફરીયાદી હિમાંશુભાઇ તાત્કાલીક સ્થળ પર પહોંચતા તેનો ભાઈ અમીત લોહીથી લથબથ સ્થળ પર પડ્યો હતો તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે અમિતને મૃત જાહેર કર્યો હતો. તબીબી તપાસમાં તેના ગુપ્ત ભાગે છરીના અનેક ઘા ઝીંકી હત્યા કરાયાનું ખુલ્યુ હતુ.

વિરલ બુધ્ધદેવ કે જે આ કેસના નજરે જોનાર એકમાત્ર સાક્ષી હતા તેઓએ ફરીયાદીને જણાવ્યુ કે ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા અમીત પાસે આવ્યા હતા અને સુરેશ ગોંડલીયાની બાબતમાં ઉશ્કેરીજનક બોલાચાલી કરી છરીના ઘા માર્યા હતા અને ત્યારબાદ તેઓએ આરોપી સરફરાજ હુશેનભાઈ મકવાણાને ભાગતા ભાગતા સ્થળ પર જ ફોન કર્યો હતો. કે લાલાનું પુરુ કરી નાંખ્યુ છે અને ત્યાર પછી તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
મૃતક અમિતના ભાઈ હિમાંશુએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ઈમરાન ફારૂકભાઈ છબીબી, ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયા અને સરફરાજ હુશેનભાઈ મકવાણાની અટક કરવામાં આવી હતી. અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યુ હતું. જેમાં સરકાર દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આ કેસમાં સ્પે. પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂંક કરવામાં આવી હતી. તેમજ સરકાર પક્ષે કુલ-10 સાક્ષી તપાસવામાં આવ્યા હતા અને દસ્તાવેજી પુરાવો રેકર્ડ પર લાવવામાં આવ્યા હતા. જેમાં ફરીયાદી અમીત કોટેચા હત્યા નજરે જોનાર વિરલ બુધ્ધદેવ, છરીના અને ગુપ્તીના ડીસ્કવરી પંચો, મોબાઈલના નોડલ ઓફિસર અને આરોપી સરફરાજ પાસેથી વ્યાજે નાણા લેનાર સુરેશ ગોંડલીયા, એફ.એસ.એલ. અધિકારી, પી.એમ. કરનાર ડોકટર, ત્રણ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ એમ કુલ દશ સાહેદો સાથે ફરીયાદપક્ષ દ્વારા રજુ કરવામાં આવ્યા.

જે દસ્તાવેજી પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ રેકર્ડ પર લાવવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓના આધારે સ્પે.પી.પી.ભગીરથસિંહ ડોડીયાએ રજૂઆત કરી હતી કે, આરોપી સરફરાજ એ સુરેશ ગોંડલીયાને આપેલા વ્યાજની ઉઘરાણી માટે ઈમરાન અને ઈનાયતને તેના ઘરે મોકલ્યા હતા. જેમાં અમીત તેઓને અવાર નવાર વચ્ચે પડી નડતો હતો જેથી આ બનાવને અંજામ આપવાનો સરફરાજ મકવાણાનો હેતુ હતો અને જે અંગે મૃતક અમીતએ પણ તેના ભાઇ હીમાંશુ એટલે કે ફરીયાદીને વાત કરી હતી અને સુરેશ ગોંડલીયાએ પણ આ વાતને સમર્થન આપ્યુ હતું અને નજરે જોનાર સાહેદ પણ બનાવનો અંજામ આપવાનો કુદરતી સાક્ષી છે અને બનાવ સ્થળેથી જ હત્યા કરવાના કાવતરામાં સંડોવાયેલ આરોપી સરફરાજને ફોન કરવામાં આવ્યો હતો. જે ફોન કોલમાં પણ બનાવને અંજામ આપ્યાની જાણ કરે છે તે સાબીત થાય છે. મોબાઈલ કોલના સ્થળ પરના આરોપીઓના લોકેશન તથા બનાવ સ્થળની આરોપીઓની સ્વીકૃતી, મોબાઈલના નંબરો તથા ફોન કોલ ન થયાની વાતનો ઈન્કાર તથા ફોન કોલ અંગેનો આરોપી સરફરાજનો કોઈ સંતોષકારક ખુલાસો પુરાવામાં ન આપતા સમગ્ર બનાવમાં આરોપી ઈમરાન અને ઈનાયતની બનાવ સ્થળે હાજરી તથા આરોપી સરફરાજની કાવતરામાં સંડોવણી પ્રાથમિક રીતે ઉપરોકત પુરાવાથી સાબીત થાય છે. આ પુરાવાનું મુલ્યાંકન કરી નામદાર ઉચ્ચ અને વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ તમામ આરોપીઓને મોરબીના એડી. સેશન્સ જજએ કાવતરું રચી અમીત ઉર્ફે લાલાની હત્યાના ગુન્હામાં પુરાવો માની તકસીરવાન ઠરાવ્યા છે અને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ત્રણેય આરોપી મળીને રૂા.ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જે રકમ મૃતક અમિતની પત્નીને વળતર તરીકે આપવામાં આવશે. આ કામમાં સ્પે.પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયા અને મુળ ફરીયાદી તરફે મોરબીના જીતેન્દ્રસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયા હતા.

You Might Also Like

સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન

મનપાના જગ્યા રોકાણ શાખા ઘોડાગાડીની બગીઓ પકડવા રેસકોર્સ પહોંચી

સૌરાષ્ટ્રની શાન સમાન લોકમેળો: પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજ- મસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે

દ્વારકા 20, સોમનાથ 15, અમદાવાદ 10 અને ઘેલા સોમનાથ જવા વધુ 5 બસ ફાળવી

રાજકોટને હાઇકોર્ટની બેન્ચ અપાવવા 27 વકીલની કમિટિની રચના કરાઇ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન
Next Article ઓખા નગરપાલિકાની સામાન્ય સભા ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઓખા નગરપાલિકાની સામાન્ય સભા ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન
મનપાના જગ્યા રોકાણ શાખા ઘોડાગાડીની બગીઓ પકડવા રેસકોર્સ પહોંચી
સૌરાષ્ટ્રની શાન સમાન લોકમેળો: પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજ- મસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે
દ્વારકા 20, સોમનાથ 15, અમદાવાદ 10 અને ઘેલા સોમનાથ જવા વધુ 5 બસ ફાળવી
રાજકોટને હાઇકોર્ટની બેન્ચ અપાવવા 27 વકીલની કમિટિની રચના કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

મનપાના જગ્યા રોકાણ શાખા ઘોડાગાડીની બગીઓ પકડવા રેસકોર્સ પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની શાન સમાન લોકમેળો: પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજ- મસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?