મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દમદાર નેતૃત્વમાં રાજ્યએ કેટલાય નવા આયામો સર કર્યા છે. કુદરતી આફત સમયે હરહંમેશ દાદાના નેતૃત્વમાં ઉમદા કામગીરી કરવામાં આવી છે.
રાજ્યના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીના શાસનકાળમાં નાગરિકોની સુખાકારીને લઈને કેટલીય યોજના અમલમાં મૂકવામાં આવી છે. દાદાના હુલામણા નામથી ઓળખાતા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દમદાર નેતૃત્વમાં રાજ્યએ કેટલાય નવા આયામો સર કર્યા છે. કુદરતી આફત સમયે હરહંમેશ દાદાના નેતૃત્વમાં ઉમદા કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં 2400થી વધુ અમૃતમ સરોવરના નિર્માણ કરવામાં આવ્યા છે. સતત બીજા વર્ષે પણ કોઈ પણ નવા કરવેરા નાખ્યા વિના 3 લાખ 1 હજાર 22 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું. G20ની બેઠકનું પણ ગુજરાતમાં સફળ આયોજન કરી ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂરવાર કર્યું કે રાજ્યની સત્તા સક્ષમ હાથોમાં છે. રાજ્યમાં 7 લાખ જેટલા ભુલકાને શાળા પ્રવેશોત્સવ દ્વારા આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો. તો રોજગારી આપવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવે છે. રાજ્યમાં 4900 જેટલા વર્ગખંડોના બાંધકામની શરૂઆત કરી શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી છે. સિંચાઈ ક્ષેત્રે પણ રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થયો છે. રાજ્યના પશુધનની પણ સરકાર ચિંતા કરે છે અને તેથી જ રાજ્યના 96 લાખ પશુને રસીકરણ આપવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોને વ્યાજ્ખોરીના ચુંગાલમાંથી બચાવવા 4 હજાર લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાધામના વિકાસ માટે રૂ.334 કરોડના 64 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
- Advertisement -
સુશાસન
જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત રહેશે. માટી મારો દેશના રાજ્યવ્યાપી અભિયાનમાં 15,136 શિલાફલકમની સ્થાપના 15,58,166 નાગરિકોએ સેલ્ફી અપલોડ કરી 21,28,105 નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ 16,336 અમૃત વાટિકાનું નિર્માણ 12,28,025 રોપાઓનું વાવેતર, વીર વંદના હેઠળ 29,925 વીરો/વીરાંગનાઓ તેમજ પરિવારોનું સન્માન કરાયું. 21,01,085 નાગરિકોએ ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. બીપરજોય સામે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચથી મોટી જાનહાની અને નુકસાન ટાળી શકાયું. બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે ₹.11.60 કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી અને 240 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ. 19 થી 21 મે રાજ્યની સરકારની દસમી ચિંતન શિબિરનું આયોજન થયું. નર્મદા જિલ્લાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રી રોકાણ કરીને બે દિવસ વિતાવ્યા. ગ્રામજનો સાથે સંવાદ કરીને વિવિધ યોજનાના લાભાર્થીઓના પ્રતિભાવ જાણ્યા. 2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે
શિક્ષણ વિભાગ
શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનું સફળતા પૂર્વક આયોજન થયું. 27જિલ્લાઓની 27,368 પ્રાથમિકશાળાઓની 46,600થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. 9 લાખ 77 હજાર ભુલકાંઓનો આંગણવાડી પ્રવેશ ધોરણ-1માં 2.30લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો માટે ઓનલાઈન પાસ સુવિધ. ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’અનુસાર રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,000 થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી. ધોરણ 1 થી 8માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે 25,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવા માટેની યોજનાની જાહેરાત કરી. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ,4,900 થી વધુ વર્ગખંડોના બાંધકામની કામગીરી શરૂ અને 13,700 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સના ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ
ગૃહ વિભાગ
મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્ર્ગ્સને ઘૂસતું અટકાવ્યું છે. જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે. માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને “અસ્મિતા” જાળવી શકાય તે માટે ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરતો કાયદો બનાવ્યો. રાજ્યના સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે 4,000 જેટલા લોકદરબાર યોજવામાં આવ્યા જેમાં 1,29,000થી વધુ લોકો હાજર રહ્યા. 22 હજાર જેટલા લોકોને સરકાર દ્વારા 261.97 કરોડ રૂપિયાની લોન અપાવી. સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T)ની રચના કરાઈ. ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડકમાન્ડએન્ડકંટ્રોલસેન્ટર (i3C)નેનેશનલઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો. રાજ્યમાં ખાસ મહિલા એસ.આર.પી. બટાલિયન સ્થાપવાનો નિર્ણય
- Advertisement -
આરોગ્ય વિભાગ
PMJAY-મા યોજના અંતર્ગત તા.11જુલાઈથીરાજયનાનાગરિકોનેરૂ. 5 લાખની મળતી સહાય વધારીને રૂ. 10લાખસુધીનું આરોગ્ય વીમા કવચની શરૂઆત. ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં ગત 6 મહિનમાં 1.5 લાખથી વધુ ડાયાલિસીસ કરવામાં આવ્યા. રાજ્યમાં 3,32,35,291 આભા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે. શાળા પ્રવેશોત્સવથી રાજ્યના1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભઆરોગ્યમાટેબજેટમાં 15,182 કરોડરૂપિયાનીમાતબરરકમનીફાળવણી. રાજ્યમાંમાતૃઅનેબાળકલ્યાણપરવિશેષધ્યાનકેન્દ્રિત. અરવલ્લી, ડાંગ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં નવી મેડીકલ કોલેજ સ્થાપાશે.
કૃષિ વિભાગ કરાયેલા કાર્ય
ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના ખેડૂતોને મળ્યું સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યોં છે. 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલિમ અપાઈ છે અને રાજ્યમાં 7 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યના 96,00,000 પશુઓને FMD/બ્રુસેલ્લોસીસ રસીકરણ દ્વારા સુરક્ષિત કરાયા. લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ. ખેડૂતોને અન્ય રાજ્યો અને દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય નિકાસ માટે રૂ.40 કરોડની સહાય, લાલ ડુંગળી અને બટાટા એ.પી.એમ.સીમાં વેચાણ કરવા માટે રૂ.90 કરોડની સહાય તેમજ ખેડૂતોને કોલ્ડસ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલપર્પઝ) સંગ્રહ કરવા માટે રૂ.2૦૦ કરોડની સહાય સરકાર દ્રારા મંજુર કરવામાં આવી. બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર 19,500 હેકટર જેટલો વધારવા રાજ્ય સરકારનું આયોજન. ફળ પાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને આંબા, જામફળ અને કેળ પાકમાં અપાશે આર્થિક સહાય આપવાનો નિર્ણય.
નારી શક્તિનું સન્માન, મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય
જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અન્ન વિતરણને વધુ પોષણલક્ષી બનાવવા હાલમાં 14 જિલ્લામાં ફોર્ટીફાઇડચોખા (ફોલીકએસીડ + આયર્ન + વિટામીનબી-12યુકત)નું વિતરણ કરવામાં આવે છે, જેનો વ્યાપ વધારી હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે. જેનામાટે રૂ.60કરોડની જોગવાઈ. સૌ પ્રથમ જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર. મહિલા સશ્કિત કરણનો નવો અધ્યાય, સૌપ્રથમ વખતમહિલા લક્ષી યોજનાઓનું બજેટ ૧ લાખ કરોડને પાર. 200 થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી. દીકરી ભણે અને આગળ વધે તે માટે ૧,૨૮૫ જેટલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડીકલ શિક્ષણ (MBBS અભ્યાસક્રમ) માટે સહાય આપી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 7 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા દર માસે 1 કિ.ગ્રા તુવેર દાળ, 2 કિ.ગ્રા ચણા, 1 લીટર સિંગ તેલ અપાયું. 1,85,642 જેટલી સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આર્થિક સહાય આપી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કર્યું. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવી 121 મહિલા સુરક્ષા ટુકડી “SHE- ટીમ” કાર્યરત કરવામાં આવી. સાથે 72 પોલીસ સ્ટેશનોમાં વુમન હેલ્પ ડેસ્કની શરૂઆત.
પ્રવાસન અને યાત્રા ધામોનો વિકાસ
ધરોઈ-અંબાજી બંધ પરિક્ષેત્રને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પેટર્ન પર વિકાસવવા માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી. રાજ્યના યાત્રાધામોમાં રૂ. ૩૩૪ કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનોમઢ-માધવપૂરકૃષ્ણ-રૂકમણી તીર્થ સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે. રાજ્યના ૩૪૯ ધાર્મિક-યાત્રાસ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતાં વાર્ષિક ૩ કરોડ રૂપિયાની વીજબચત. સુરત ખાતે વિશ્વ યોગ દિવસના આયોજનને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. એક સાથે એક સ્થળે ૧.૫૦લાખનાગરિકોએયોગાભ્યાસમાંજોડાઈરેકોર્ડસર્જ્યો. પાવગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૨૧ કરોડની ફાળવણી. ગુજરાતમાં 69મા ફિલ્મ ફેર એવોર્ડ્સ 2024ના આયોજન માટે પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoUથયા. રાજ્યમાં 10 ટેન્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 5-6ટેન્ટ સિટી જાન્યુઆરી 2024 સુધીમાં કાર્યરત કરવામાં આવશે.
યુવાઓને પ્રોત્સાહન
આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતીનું આયોજન. રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે 10,338 જેટલી લોક સંવર્ગની ભરતી, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને 1,287 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી . વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી 8,૦૦૦ ભરતીનું આયોજન. રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં 433 જેટલા ભરતી મેળાઓનું આયોજનઅને 1 લાખથી વધુ યુવાનોને રોજગારીના અવસર. રાજ્યમાં એક જ દિવસમાં 2500થી વધુ કર્મયોગીઓને નિમણૂક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા. યુવા ઉદ્યોગ સાહસિકો- સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપતું અપડેટેડ સ્ટાર્ટ અપ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું. સાથે 1176 સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા. ગુજરાતના યુવાનોને વિશ્વ કક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વ પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ગીફ્ટ સિટીમાં સ્થપાશે.