-દુર્ઘટનામાં અનેક યાત્રીઓ ઘાયલ: બસ ચાલકની ધરપકડ:રસ્તા પર વળાંકમાં ચાલકે ઝડપથી બસ ચલાવતા અકસ્માત સર્જાયો
અહીં ગઈકાલે ગુરુવારે વહેલી સવારે એક બસ હાઈવેથી નીચે એક ખાઈમાં ખાબકતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ લોકો થયા હતા. આ બસમાં ભારત સહિત ડોમિનિકન ગણરાજય અને આફ્રિકી દેશોના 42 નાગરિકો પ્રવાસ કરી રહ્યા હતા.
- Advertisement -
આ અકસ્માતના બનાવ અંગે નાયરિટ સરકારે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓને એ વાતની શંકા છે કે બસ ચાલક રસ્તાના વળાંક પર ઝડપથી બસ ચલાવતો હતા અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ થઈ રહી છે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. જેમાં એક મહિલાની ગંભીર હાલત છે નાગરિક સુરક્ષા સચિવનું કહેવું હતું કે રેસ્કયુ ઓપરેશન ઘણુ કઠીન છે કારણ કે ખાઈ 131 ફૂટ ઉંડી છે.