રાજકોટમાં રોગચાળો વકરતા મનપાની આરોગ્ય શાખાએ કામગીરી હાથ ધરી
મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ અને વહીવટી ચાર્જ વસુલાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રોગચાળા દ્વારા ઉભા થતાં જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરાઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 23-12થી તા. 29-12 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 16509 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 2342 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીક્લ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપારના ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલીક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 235 પ્રિમાઈસીસ (બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગાણના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલ છે જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંક 75 અને કોમર્શિયલ 26 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.
એક વર્ષમાં નોંધાયેલા કેસો
રોગો કેસો
મેલેરિયા 43
ડેન્ગ્યુ 394
ચિકનગુનિયા 41
શરદી-ઉધરસના કેસ 51745
સામાન્ય તાવના કેસ 24537
ઝાડા-ઉલ્ટીના કેસ 12614
ટાઈફોઈડ તાવના કેસ 103
કમળો તાવના કેસ 7
મરડાના કેસ 1
કોલેરા 6



